તા.૪ જાન્યુઆરી ગુજરાતના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીની પુણ્યતિથિ ગઈ. તેઓ માત્ર અભિનેતા જ નહોતા પરંતુ જીવનના ઉત્તરાર્ધના જાહેર જીવનમાં આવ્યા. ચૂંટણી લડયા. મંત્રી પણ બન્યા અને પોતાના મત વિસ્તારમાં નમૂનેદાર કામ પણ કર્યું. તેઓ નિયમિત સાબરકાંઠામાં પોતાના મતવિસ્તારમાં જતા. લોકોના પ્રશ્નો સાંભળતા. તેની નોંધ રાખતા અને સચિવાલયમાં આવી એમના વાજબી પ્રશ્નોના ઉકેલની એકનોંધ પણ રાખતા. […]
દેશના અતિ લોકપ્રિય પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ૯૬મી જન્મજયંતી હમણાં જ ગઈ. દેશના જાહેરજીવનમાં કેટલાક રાજકારણીઓ છે તો કેટલાક રાજનીતિજ્ઞા છે. કેટલાક પોલિટિશિયન છે તો કેટલાક સ્ટેટ્સમેન. અટલજી ‘સ્ટેટ્સમેન’ અર્થાત્ રાષ્ટ્રપુરુષ હતા. તેઓ અજાતશત્રુ હતા. વિપક્ષના નેતાઓ પણ તેમનો આદર કરતા હતા. તેઓ કવિ હતા, એક સામયિકના સંપાદક પણ હતા. ઉત્કૃષ્ઠ વક્તા અને […]
કેટલાક વર્ષો પહેલાં અમદાવાદના ઠાકોરભાઈ હોલમાં એક કાર્યક્રમ હતો. રંગમંચના અભિનેત્રી સરિતા જોશી મુખ્ય અતિથિ હતા. કાર્યક્રમમાં સંચાલિકાએ કહ્યું કે, હવે સરિતા જોશી સંબોધન કરશે ! સ્ટેજ પર બેઠેલાં સરિતા જોશી ઊભાં થયા અને લાકડાંના પોડિયમ પરથી ઔમાઇક્રોફોન હાથમાં લઈ પોડિયમની બાજુમાં ગયા. શ્રોતાઓની સામે ઊભા રહીને બોલ્યાં : ‘મને આખાને આખા દેખાવાનો શોખ છે […]
બીજા વિશ્વયુદ્ધ પછી આખું જગત એક નાજુક અને કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. કુદરતી આપત્તિઓ તો આવે છે અને જાય છે, પરંતુ કોરોના વાઇરસના આક્રમણથી વિશ્વ આખું હતપ્રભ છે. એક અદૃશ્ય દુશ્મન આખી દુનિયા પર કાળો કેર વર્તાવી રહ્યો છે. બીમાર અને મોતને ભેટતા માનવીઓના આંકડા લખાય અને છપાય તે સુધીમાં તો એ આંકડો […]
કોરોના વાઇરસના નવા સ્વરૂપ ‘કોવિડ-૧૯’ નામની ખતરનાક બીમારીએ સમગ્ર વિશ્વને એક નવા જ મોડ પર લાવીને મૂકી દીધું છે. આખા વિશ્વમાં લોકોની લાઇફસ્ટાઇલ બદલાઇ ગઈ છે. પિકનિક અને પાર્ટીઓ બંધ થઈ ગઈ છે. પશ્ચિમના દેશોમાં બાર પર બહુ ઓછા લોકો જોવા મળે છે. દરિયાના બીચ પર ઓછા લોકો જોવા મળે છે. યુરોપમાં સહેલાણીઓ છે જ […]
સમગ્ર વિશ્વની સાથે ભારત પણ કોરોના ભરડામાં ત્રસ્ત છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસો મહારાષ્ટ્રમાં છે. તે પછી બીજા નંબરે ગુજરાત હોટસ્પોટ છે. અમદાવાદના નેતાઓ અગ્શ્ય છે, અધિકારીઓ ટીવી પર છે અને તબીબો- પેરામેડિકલ્સ સ્ટાફ યુદ્ધના મોરચે છે. કોરોના વાઇરસની મહામારી ફેલાયા બાદ ત્રીજું વિશ્વયુદ્ધ હવે તબીબો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓ લડી રહ્યા છે ત્યારે […]
આજે ગાંધી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ, નિષ્ણાતો અને ચાહકોને શોધવા મુશ્કેલ છે. ગાંધીજીની સાથે રહેલાઓ ‘અંતેવાસી’ તરીકે ઓળખાતા. હવે એવા અંતેવાસીઓ રહ્યા નથી. બાપુની મોટામાં મોટી ખૂબી એ હતી કે દેશને આઝાદી મળી ત્યારે તેમની લોકપ્રિયતા એટલી પ્રચંડ હતી કે તેમણે ધાર્યું હોત તો તેઓ વડા પ્રધાન થઇ શક્યા હોત પરંતુ જે દિવસે આઝાદી મળી એ […]
આજે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી છે. સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના દિવસે અર્થાત્ ઇ.સ. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરવાળો, ડરપોક અને જુઠ્ઠુ બોલતો, ચોરી કરીને બીડી પીતો કિશોર એક દિવસ આ યુગનો ‘મહાપુરુષ’ બની જશે એવું કોઇ પણ જ્યોતિષીએ ભાખ્યું નહોતું. પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર […]
અટલજી વિદાયને એક વર્ષ થયું. તેમના જીવનની કેટલીક લાગણીભીની અને હળવી વાતો અહીં પ્રસ્તુત છે. ભારતના લોકપ્રિય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી આજે હયાત હોત તો દેશભરમાં ખીલી ઉઠેલા કમલને જોઇ અત્યંત ખુશ હોત. અટલજી એક અદ્ભુત વ્યક્તિ હતા. તેમની પાસે સુમધુર વાણી હતી, કવિ પણ હતા અને પ્રખર વકતા પણ હતા. સંસદમાં વિપક્ષમાં રહ્યા […]
અમદાવાદના પહેલાં તેજસ્વી વિદ્યાર્થી મગનલાલ શેઠ હતા તો ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનારાં પહેલાં મહિલા વિદ્યાગૌરી નીલકંઠ હતા. વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ તા. ૧ જૂન ૧૮૭૬ના રોજ અમદાવાદમાં થયો હતો. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ : ગુજરાતી નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ ગુજરાતમાં સૌપ્રથમ બી.એ.ની પદવી મેળવનાર સ્ત્રીઓમાંના એક હતા. કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં કર્યા બાદ તેમણે માધ્યમિક […]
All Rights Reserved | Copyright © 2024 Devendra Patel