Close

જેમણે નોબેલ પ્રાઈઝ લેવા ઈન્કાર કર્યો જ્યોં પોલ સાર્ત્રે

રેડ રોઝ | Comments Off on જેમણે નોબેલ પ્રાઈઝ લેવા ઈન્કાર કર્યો જ્યોં પોલ સાર્ત્રે
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

પચાસ વર્ષ પહેલાં એક એવી ઘટના ઘટી કે જેણે દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. ૧૯૬૪માં ફ્રાંસના લેખક અને ચિંતક જ્યોં-પોલ સાર્ત્રેએ વિશ્વનો સહુથી ઊંચો નોબેલ પુરસ્કાર લેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે સ્વૈચ્છાએ આ નોબેલ પ્રાઈઝ લેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે આમ કેમ કર્યું તે અંગે પોતાના ભાવ પ્રગટ કરતું જે વક્તવ્ય પ્રકાશિત કર્યું હતું તે સ્વયં એક ઐતિહાસિક દસ્તાવેજ છે. આ છે તેમનું વક્તવ્યઃ

મેં નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા સ્વિડિશ એકેડેમીને એક પત્ર લખી સ્પષ્ટ કર્યું છે કે, આ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરવાની બાબતને ન તો સ્વિડિશ એકેડેમી સાથે સંબંધ છે કે ન તો સ્વયં નોબેલ પુરસ્કારથી. અલબત્ત, આમ કરવાનાં બે કારણો છે.

એક તો વ્યક્તિગત કારણ છે. મારો આ ઈન્કાર કોઈ આવેગનું ભાવપ્રદર્શન નથી. મેં હંમેશાં અધિકારિક સન્માનનો ઈન્કાર કર્યો છે. યુદ્ધ પછી ૧૯૫૫માં જ્યારે મને લીઝન ઓફ ઓનરનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે સરકાર સાથે સહાનુભૂતિની સાથે મેં તેનો ઈન્કાર કરી દીધો હતો. મારું આ વલણ લેખકીય કર્મની મારી અવધારણાથી સંબંધિત છે. એક લેખક અગર પોતાના રાજનૈતિક,સામાજિક અગર સાહિત્યિક વિચાર બનાવે છે તો તેણે પોતાનાં જ સંશોધનો પર અવલંબિત રહેવું જોઈએ. એટલે કે તેણે લખેલા શબ્દો પર તે જે કોઈ સન્માન ગ્રહણ કરે છે તેનાથી તેના વાચકો પર દબાણનો અહેસાસ થાય છે. હું માત્ર જ્યાં-પોલ સાર્ત્રેના રૂપે હસ્તાક્ષર કરું છું તે નોબેલ પ્રાઈઝ વિજેતા જ્યાં-પોલ સાર્ત્રેના હસ્તાક્ષરથી ભિન્ન હોય છે.

જો લેખક આ રીતે પુરસ્કાર સ્વીકારે છે તો તે એ સમિતિ અથવા સંસ્થા સાથે પોતાની જાતને સંબદ્ધ અનુભવ કરે છે. તેથી લેખકે પોતાની જાતને કોઈ સંસ્થામાં પરિર્વિતત કરવાથી બચવું જોઈએ. ભલે તે ગમે તેટલો સન્માનજનક પુરસ્કાર હોય.

અલબત્ત, આ મારો પોતાનો અંગત મત છે. જે લોકો આ પુરસ્કાર મેળવી ચૂક્યા છે તેમની આમાં કોઈ આલોચના નથી.

મારી સહાનુભૂતિ સમાજવાદી, જેને પૂર્વી બ્લોક કહે છે તેની તરફ છે. હું પૂર્વ અને પશ્ચિમ એમ બેઉ સંસ્કૃતિઓને નિકટ લાવવા માગું છું: આ કારણથી હું કોઈ સાંસ્કૃતિક સત્તા દ્વારા અપાતા સન્માનને સ્વીકારી શકતો નથી. પશ્ચિમી દેશોના સત્તાધિકારીઓ સાથે મારી સહાનુભૂતિ હોય તો પણ હું પૂર્વી બ્લોક તરફથી અપાતા સન્માનને ન સ્વીકારું.

હું જાણું છું કે, નોબેલ પુરસ્કાર પશ્ચિમી બ્લોકનો સાહિત્યિક પુરસ્કાર નથી. પણ હવે તેનું સ્વરૂપ કંઈક એવું જ થઈ ગયું છે. વર્તમાનમાં નોબેલ પુરસ્કાર પશ્ચિમના લેખકો અને પૂર્વના વિદ્રોહી લેખકો માટે જાણે કે આરક્ષિત થઈ ગયા છે. દા.ત. નેરૂદા નામના એક શ્રેષ્ઠ કવિને આ પુરસ્કાર ન અપાયો જે દક્ષિણ અમેરિકાના મહાન કવિઓ પૈકીના એક છે. અફસોસની વાત એ છે કે રશિયાના લેખક બોરિસ પાસ્તરનાકને આ પુરસ્કાર અપાયો જેનું પુસ્તક રશિયાની બહાર છપાયું અને રશિયામાં જ તે પુસ્તક પ્રતિબંધિત થઈ ગયું. અલ્જિરિયાની લડાઈ દરમિયાન જ્યારે અમે ‘૧૨૧ના ઘોષણાપત્ર’ પર હસ્તાક્ષર કર્યા તો હું તેનો સન્માનપૂર્વક સ્વીકાર કરી લેત, કારણ કે તે મારું નહીં પરંતુ સ્વતંત્રતાનું પણ સન્માન સમજી શકાત. પણ એવું થયું નહીં. યુદ્ધ પછી જ મને પુરસ્કાર આપવાનો નિર્ણય લેવાયો હતો.

સ્વિડિશ એકેડેમીના મંતવ્ય પર વાત કરતી વખતે સ્વતંત્રતાનો ઉલ્લેખ પણ થયો છે. આ એક એવો શબ્દ છે જેના ઘણા અર્થ નીકળી શકે છે. પશ્ચિમના દેશોમાં સ્વતંત્રતા પોતાના સામાન્ય અર્થમાં છેઃ વ્યક્તિગત રીતે હું સમજું છું કે સ્વતંત્રતા વધુ સશક્ત હોય જેમાં એક જોડીથી વધુ જૂતાં રાખવાનો અને ભરપૂર ખાવાનો અધિકાર હોય.

મને લાગે છે કે, પુરસ્કારનો ઈન્કાર કરવાથી વધુ ખતરનાક છે તેનો સ્વીકાર કરવો. અગર હું તેનો સ્વીકાર કરું છું તો એક રીતે પોતાનો ‘વસ્તુપરક પુનર્વાસ’ કરવાનો રહે. હું જાણું છું કે જ આ લેખ સ્વિડિશ એકેડેમીના વિચારોને વ્યક્ત નથી કરતો.

મારો એવો મતલબ નથી કે નોબેલ પુરસ્કાર એક બુર્ઝવા પુરસ્કાર છે. પણ તેની બુર્ઝવાઈ વ્યાખ્યા મારી આસપાસના પરિચિત વિશિષ્ટ પરિવેશમાં પ્રવેશી ગઈ છે.

છેલ્લે, એમાં અપાતી ધનરાશિ સંબંધી પ્રશ્ન પર આવું છું. સ્વિડિશ એકેડેમી નોબેલ પુરસ્કારની સાથે મોટી ધનરાશિ પણ આપે છે. આ સમસ્યા મને બહુ જ દુઃખ પહોંચાડે છે અથવા તો કોઈ તે પુરસ્કાર સ્વીકાર કરે અને તે ધનરાશિ તે સંગઠનોને કે આંદોલનોને આપી દે જેને તે મહત્ત્વપૂર્ણ સમજે છે. દા.ત. હું ખુદ એ ધનરાશિ લંડનની રંગભેદ સમિતિને આપવાનું ચાહત. બેશક, હું આ અઢી લાખ યુક્રેન (ચલણ)ની ધનરાશિનો અસ્વીકાર કરું છું, કારણ કે હું પૂર્વ અથવા પશ્ચિમની કોઈ સંસ્થાગત રૂપે મારી ઓળખ બનાવવા માગતો નથી. બીજી બાજુ બીજા કોઈને અઢી લાખ ક્રાઉનની રકમ માટે એ સિદ્ધાંતોને નકારવા માટે પણ કરી શકતો નથી, જે તેમના પોતાના નથી પરંતુ જેમાં તેમના બીજી સાથીદારોની પણ ભાગીદારી છે.

બસ, આ જ એ કારણો છે જેમણે આ પુરસ્કાર સ્વીકાર્યાે કે ઈન્કાર કર્યો તે બધાં જ કારણો મારા માટે પીડાકારક છે. હું સ્વિડનની જનતા સાથે ભાઈચારો વ્યક્ત કરીને આ સ્પષ્ટીકરણ સમાપ્ત કરું છું.”

જ્યાં-પોલ સાર્ત્રેનો આ પત્ર સ્વિડિશ એકેડેમીને મળે તે પહેલાં તેમને નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ ગઈ હોવાથી એકેડેમી માટે ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી થઈ હતી. સાર્ત્રે કોઈ પણ સરકારી અધિકારિક સન્માન લેવાના વિરોધી હતા.

આમ છતાં પણ સ્વિડિશ એકેડેમીના સભ્ય એન્ડ્રેઝ ઓસ્ટરસીંગે તેમની ગેરહાજરીમાં એવોર્ડના પ્રેઝન્ટેશન વખતે કહ્યું હતું: “The fact that (sartre) has declined this distinction does not in the least modify the validity of the award. under the circumstances, however, the academy can only state that the presentation of the prize can not take place.”

Be Sociable, Share!