સાંજ પડવા આવી હતી. ઉદયપુરથી દૂર દૂર એક નિર્જન સડક પર એક મોટરકાર દોડી રહી હતી. શેખર અને પ્રિયા હનીમૂન મનાવવા જયસમંદ તરફ જઈ રહ્યા હતા. મુખ્ય માર્ગને શાયદ તેઓ ભૂલી ગયાં હતાં. ગાડીનું બેલેન્સ જતું રહ્યું છે એમ લાગતાં શેખરે કાર થોભાવી. ઊતરીને જોયું તો ટાયર પંક્ચર થઈ ગયું હતું. ચારે તરફ ઊંચી ઊંચી […]
સાંજનો સમય છે. અખબારની કચેરીમાંથી બહાર નીકળતી વખતે જ દરવાજામાં એક યુવતી ભેટી જાય છે. તે કહે છે ઃ ‘સર ! મારું નામ લીના છે.’ પંજાબી સલવાર-કમીઝમાં નીચાં પોપચાં સાથે તે પોતાનો પરિચય આપી એક હસ્તલિખિત પત્ર સુપરત કરે છે. એના ચહેરા પર કશુંક ખોવાઈ ગયાનો અહેસાસ છે. એ કહે છે ઃ ‘હું અમદાવાદમાં જ […]
તા. ૩૧મી ઑક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ભારતને આઝાદીની જાહેરાત બાદ સત્તાનું હસ્તાંતરણ કરવા આવેલા લોર્ડ માઉન્ટ બેટનને તા. ૨૪-૬-૧૯૪૯ના રોજ ખુદ સરદાર વલ્લભભાઈ પટેલે એક પત્રમાં લખ્યું હતું ઃ ”દેશ માટે મેં જે કાંઈ કર્યું તેનું મૂલ્યાંકન આજના લોકમત દ્વારા નહીં પણ ભારતના ઇતિહાસકારો કરે તો તેનાથી મને સંતોષ થશે.” ગુજરાતના સામાન્ય ગરીબ […]
આજે દીપાવલી છે દીપાવલી હિન્દુઓનો મોટામાં મોટો તહેવાર છે. દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે. સમુદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો બહાર નીકળ્યાં, તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી,તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને […]
સદીના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈનના જીવનનો એક પ્રસંગ છે. ગઈ સદીમાં તેમણે થિયરી ઑફ રિલેટિવિટીનો સિદ્ધાંત આપ્યો. આ થિયરીનો અર્થ એટલો જ છે કે પરમાણુનું વિભાજન કરતાં પ્રચંડ ઊર્જા પેદા થાય છે. તેમની આ થિયરીનો ઉપયોગ કરીને અમેરિકાના ભૌતિકશાસ્ત્રી ઓપનહાયમરેપરમાણુ બોમ્બ બનાવ્યો. યાદ રહે કે પરમાણુ બોમ્બ આઈનસ્ટાઈને બનાવ્યો નહોતો. તેમણે તો માત્ર થિયરી ઑફ […]
LILI SINH તે યૂ- ટયૂબ સેલિબ્રિટી છે. તે ખૂબસૂરત યુવતી છે અને કોમેડિયન છે. ભારતે જ્હોની વૉકરથી માડીને અસરાની જેવા અનેક કોમેડિયન આપ્યા છે પરંતુ ટુનટુન પછી મહિલા કોમેડિયનો ભાગ્યે જ દેખાઈ છે. પરંતુ લીલી નામની યુવતી ફરી કોમેડિયન તરીકે હવે મશહૂર થઈ રહી છે. લીલીના માતાપિતા મૂળ પંજાબના વતની છે. પાછળથી તેનું પરિવાર કેનેડા […]
૧૯૬૨-૬૩ના અરસાની આ વાત છે. એ વખતે એક સાધુ સંત વડનગરમાં આવ્યા. ગામમાં રિવાજ હતો કે કોઈ સાધુ મંદિરમાં આવીને રહે તો તેમના ભોજનનો પ્રબંધ વારાફરતી જુદા જુદા પરિવારોમાં થાય. એક દિવસ એ સાધુ મહારાજ વડનગરમાં એક પરિવારમાં ભોજન માટે પધાર્યા. ભોજન બાદ બાળકોનાં માતાને કહ્યુંઃ ‘તમારા કોઈ કુટુંબીજનના જન્માક્ષર હોય તો મને આપો. હું […]
તા.૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવે છે. રાજનીતિમાં આવ્યા તે પછી પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે દેશના વડાપ્રધાન તરીકે પીએમ મોદીએ તેમના સુશાસનમાં ૨૦ વર્ષ પૂરાં કર્યાં છે. ૨૦૨૪માં ફરી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. અને તેઓ ફરી એકવાર કેન્દ્ર સરકારમાં સત્તાના સુકાન સંભાળશે તે સુનિિૃત છે. આ પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતાનું […]
આજે તા.૧૫મી ઓગસ્ટ છે. દેશના ભાગલા વખતેની અને તે પછીની બે ઘટનાઓ અહીં પ્રસ્તુત છે. ભારત-પાકિસ્તાન વચ્ચે હંમેશાં તનાવપૂર્ણ સંબંધો રહ્યા છે પરંતુ એ બધાની વચ્ચે પણ ક્યાંક અવનવી વાતો જોવા મળે છે. પંજાબના મુક્તસર જિલ્લામાં નેશનલ હાઈવે પર મલોટ શહેર ખાતે લાકડાંનું કામ કરવાવાળાની એક દુકાન છે જ્યાં લાગેલા બોર્ડ પર લખ્યું છે. ‘ભારત-પાકિસ્તાન […]
આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આજે અમદાવાદના ‘શહેર સૂબા’ તરીકે જાણીતા ડૉ.જયંતીભાઈ ઠાકોર નામના એક ક્રાંતિકારીની કથા અહીં પ્રસ્તૂત છે. તેઓ શહેરમાં ‘જનતા કરફ્યૂ’નું એલાન આપે એટલે આખું શહેર તેમના એલાનને માન આપી ઘરમાં જ કેદ થઈ જાય. આઝાદીના એ જંગ દરમિયાન અમદાવાદના એક સ્વાતંત્ર્ય સેનાની જયંતી ઠાકોર ‘શહેર સૂબા’ તરીકે જાણીતા હતા. […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel