દીપાવલીના તહેવારોનો આરંભ થઈ રહ્યો છે. હવે ઘેર ઘેર મંગલદીપ પ્રગટશે. ગૃહલક્ષ્મીઓ ઘરના આંગણામાં રંગોળી પૂરશે. વર્ષ-પ્રતિવર્ષ દીપાવલી એક મોટા પર્વ તરીકે ઊજવાય છે. દુકાનો, મૉલ, છબીઘરો અવનવી રોશનીથી ઝગમગી ઊઠે છે. ગ્રાહકોને આકર્ષવા મોટા મોટા મૉલ્સ ભાતભાતની ડિસ્કાઉન્ટ યોજનાઓ જાહેર કરે છે. મીઠાઈની દુકાનો પણ અવનવી મીઠાઇઓને સરસ રીતે બિછાવી દે છે. ફટાકડાની દુકાનો […]
મારું નામ ડાયના છે. હું અમેરિકાના એક અત્યંત નાના ટાઉનમાં રહું છું. મારી માતાના અવસાન બાદ ફ્યૂનરલ સમયની આ વાત છે. મારી મા બહુ જ ભલાં અને બીજાને મદદરૂપ થવાની લાગણી ધરાવતાં નારી હતા. મારે જ્યારે પણ એમની જરૂર પડી ત્યારે તેઓ હંમેશાં મારી પડખે ઊભા રહેતાં. મારી માતા બહુ જ ગંભીર રીતે બીમાર પડયાં. […]
રામાનંદ સાગર દ્વારા નિર્મિત સુપ્રસિદ્ધ ટી.વી. શ્રોણી ‘રામાયણ’માં રાવણનો રોલ કરનાર દેશના અત્યંત જાણીતા ગુજરાતી ફિલ્મ અને નાટય અભિનેતા અરવિંદ ત્રિવેદી હવે રહ્યા નથી. તેઓએ મુંબઈમાં જ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. ‘રામાયણ’ સિરિયલમાં રાવણનો રોલ ભજવનાર અરવિંદ ત્રિવેદીની વાત આ પ્રમાણે છે. અરવિંદ ત્રિવેદી ગુજરાતી અને ગુજરાતના જાણીતા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના ભાઈ હતા. […]
છેલ્લા કેટલાક દિવસોથી આખા વિશ્વની નજર અમેરિકામાં વોશિંગ્ટન ખાતે અમેરિકાના પ્રમુખ જો બાયડન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વન-ટુ-વન બેઠક પર હતી. એ જ રીતે ક્વાડ દેશોની બેઠક પર પણ દુનિયાની નજર હતી. ન્યૂયોર્ક ખાતે આવેલી યુએન જનરલ એસેમ્બલીની સભામાંં થનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચન પર પણ સૌની નજર હતી. વડા પ્રધાન નરેન્દ્ર […]
રચના. ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામ માંગરૌલીમાં રહેતા હાકિમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકિમસિંહની પડોશમાં રામસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાાતિના હતા. એક દિવસ રામસિંહના સાળાનો પુત્ર રામેશ્વર ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી રચનાને જોઈ અને તે તેનાથી આકર્ષિત થઈ ગયો. એ જ રીતે […]
એક પત્ર છે. તે લખે છે ઃ ‘મારું શરીર સૌષ્ઠવ સારું છે. હું નાની હતી ત્યારથી જ રૂપાળી છું. મોટી થઈ. સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ મને જોઈ રહેતા પરંતુ હું સ્વભાવથી શાંત અને નિર્મળ હતી. હું કુંવારી હતી ત્યારથી મને કોઈ છોકરાઓમાં રસ નહોતો. મારા મનમાં એક વાત ઠસી ગઈ હતી કે પુરુષજાત સ્વાર્થી છે. […]
અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ પાસે આવેલો ‘રિટ્રીટ’ બંગલો આજે પણ વર્ષો જૂના સ્થાપત્યનો એક અજોડ નમૂનો છે. અંબાલાલ સારાભાઈની માલિકીના આ બંગલામાં શરૂઆતમાં ચારે તરફ થોરની વાડ હતી. પછી તે ઈંટ-કોંેક્રિટનો થયો. ૧૯૧૮ સુધી એમનું પરિવાર રાત્રે શાહીબાગ આ બંગલામાં રહેતું અને દિવસે મિરજાપુરના બંગલે જતું. ઘોડાગાડીઓ પણ જોડાય અને આખું પરિવાર સ્થળાંતર કરી જાય. લીનાબહેન […]
અંબાલાલ સારાભાઈએ હવે શાહીબાગમાં ભવ્ય નિવાસસ્થાન બનાવવા માટે વિચાર્યું. હાલ શાહીબાગમાં જ્યાં અંડર ગ્રાઉન્ડ રસ્તો છે તેની બાજુમાં ૨૧ એકર જમીનમાં પહેલાં થોરની વાડ હતી. ત્યાર પછી ઈંટોનો કોટ થયો. અંદર જૂનો બંગલો રહેતો. રાત્રે ચોરો આવતા. પથ્થરો ફેંકતા. એક ભવ્ય બંગલાની ડિઝાઇન બનાવવાનું કામ રવીન્દ્રનાથ ટાગોરના સાથી સુરેન્દ્રનાથ કૌરને સોંપવામાં આવ્યું સુરેન્દ્રનાથે રવીન્દ્રનાથ ટાગોરના […]
આજે ભગવાન શ્રાી કૃષ્ણનો જન્મદિવસ છે. શ્રાાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીનો દિવસ. હજારો વર્ષ પહેલાંની વાત છે. એ દિવસે આખો વખત મેઘગર્જનાઓ અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડતો હતો. વર્ષો છતાં નિત્ય સમયે ધાર્મિક વિધિ કરાવવા ગર્ગાચાર્ય મહાલયમાં આવ્યા. વિધિ પૂરી થતાં વાસુદેવને ભેટયા. કાનમાં કંઈક કહ્યું. અંદર અંધકાર હતો. દેવકી સૂતેલાં હતા. બાજુમાં […]
તા.૧૨મી ઑગસ્ટ, ૧૯૧૯. રક્ષાબંધનનો દિવસ હતો. અંબાલાલ સારાભાઈ પરિવારનાં બાળકો શાહીબાગ કેમ્પના મેદાનમાં ઘોડેસવારી કરતાં હતાં. સાંજનો સમય હતો. તેમના ઘોડારના એક સવારે દોડતા આવી શુભ સમાચાર આપ્યા કે તેમના કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો છે. બાળકોએ ઘોડા ઘર તરફ્ વાળ્યાં, બાળકોને નવા ભાઈને જોવો હતો. એનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. એક વાર રવીન્દ્રનાથ ટાગોર […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel