રચના. ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામ માંગરૌલીમાં રહેતા હાકિમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકિમસિંહની પડોશમાં રામસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાાતિના હતા. એક દિવસ રામસિંહના સાળાનો પુત્ર રામેશ્વર ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી રચનાને જોઈ અને તે તેનાથી આકર્ષિત થઈ ગયો. એ જ રીતે […]
એક પત્ર છે. તે લખે છે ઃ ‘મારું શરીર સૌષ્ઠવ સારું છે. હું નાની હતી ત્યારથી જ રૂપાળી છું. મોટી થઈ. સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ મને જોઈ રહેતા પરંતુ હું સ્વભાવથી શાંત અને નિર્મળ હતી. હું કુંવારી હતી ત્યારથી મને કોઈ છોકરાઓમાં રસ નહોતો. મારા મનમાં એક વાત ઠસી ગઈ હતી કે પુરુષજાત સ્વાર્થી છે. […]
અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ પાસે આવેલો ‘રિટ્રીટ’ બંગલો આજે પણ વર્ષો જૂના સ્થાપત્યનો એક અજોડ નમૂનો છે. અંબાલાલ સારાભાઈની માલિકીના આ બંગલામાં શરૂઆતમાં ચારે તરફ થોરની વાડ હતી. પછી તે ઈંટ-કોંેક્રિટનો થયો. ૧૯૧૮ સુધી એમનું પરિવાર રાત્રે શાહીબાગ આ બંગલામાં રહેતું અને દિવસે મિરજાપુરના બંગલે જતું. ઘોડાગાડીઓ પણ જોડાય અને આખું પરિવાર સ્થળાંતર કરી જાય. લીનાબહેન […]
અંબાલાલ સારાભાઈએ હવે શાહીબાગમાં ભવ્ય નિવાસસ્થાન બનાવવા માટે વિચાર્યું. હાલ શાહીબાગમાં જ્યાં અંડર ગ્રાઉન્ડ રસ્તો છે તેની બાજુમાં ૨૧ એકર જમીનમાં પહેલાં થોરની વાડ હતી. ત્યાર પછી ઈંટોનો કોટ થયો. અંદર જૂનો બંગલો રહેતો. રાત્રે ચોરો આવતા. પથ્થરો ફેંકતા. એક ભવ્ય બંગલાની ડિઝાઇન બનાવવાનું કામ રવીન્દ્રનાથ ટાગોરના સાથી સુરેન્દ્રનાથ કૌરને સોંપવામાં આવ્યું સુરેન્દ્રનાથે રવીન્દ્રનાથ ટાગોરના […]
આજે ભગવાન શ્રાી કૃષ્ણનો જન્મદિવસ છે. શ્રાાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીનો દિવસ. હજારો વર્ષ પહેલાંની વાત છે. એ દિવસે આખો વખત મેઘગર્જનાઓ અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડતો હતો. વર્ષો છતાં નિત્ય સમયે ધાર્મિક વિધિ કરાવવા ગર્ગાચાર્ય મહાલયમાં આવ્યા. વિધિ પૂરી થતાં વાસુદેવને ભેટયા. કાનમાં કંઈક કહ્યું. અંદર અંધકાર હતો. દેવકી સૂતેલાં હતા. બાજુમાં […]
તા.૧૨મી ઑગસ્ટ, ૧૯૧૯. રક્ષાબંધનનો દિવસ હતો. અંબાલાલ સારાભાઈ પરિવારનાં બાળકો શાહીબાગ કેમ્પના મેદાનમાં ઘોડેસવારી કરતાં હતાં. સાંજનો સમય હતો. તેમના ઘોડારના એક સવારે દોડતા આવી શુભ સમાચાર આપ્યા કે તેમના કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો છે. બાળકોએ ઘોડા ઘર તરફ્ વાળ્યાં, બાળકોને નવા ભાઈને જોવો હતો. એનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. એક વાર રવીન્દ્રનાથ ટાગોર […]
અમદાવાદ શહેરમાં ગર્ભશ્રાીમંત પરિવારો તો બીજા પણ હતા પરંતુ એરિસ્ટોક્રેટ લાઇફ સ્ટાઇલનો આરંભ અંબાલાલ સારાભાઈથી શરૂ થયો. અઢાર વર્ષના અંબાલાલ અને પંદર વર્ષનાં સરલાદેવીનો એક તરફ ઘરસંસાર પણ શરૂ થયો અને બીજી ત૨ફ્ લગ્ન પછી પણ સરલાદેવીએ મિસ ચબ દ્વારા ચલાવાતી મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજની ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલમાં ભણવાનું પણ ચાલુ રાખ્યું . અંગ્રેજીમાં લખવાનું – […]
આજથી ૧૦૦ વર્ષ પૂર્વે અમદાવાદના ગર્ભશ્રાીમંતો અને શ્રોષ્ઠીઓમાં જેમની આગવી પ્રતિષ્ઠા અને મોભો હતો એવા પરિવારોમાં અંબાલાલ સારાભાઈ, અમૃતલાલ હરગોવનદાસ, બિહારી કનૈયાલાલ, બેચરદાસ લશ્કરી, કસ્તુરભાઈ લાલભાઈ જેવાં અનેક નામોનો સમાવેશ થાય છે. આવાં પરિવારો પૈકી અંબાલાલ સારાભાઈ પરિવારનું છેલ્લું સંતાન એવા ગીરાબહેન સારાભાઈએ ૯૮ વર્ષની વયની વયે થોડા દિવસ પહેલાં દેહત્યાગ કર્યો. અમદાવાદની જાણીતી શૈક્ષણિક […]
બેગમ પારા. નવી પેઢીએ તો આ નામ સાંભળ્યું જ નહીં હોય. ૧૯૪૦થી ૧૯૫૦ના સમયગાળામાં મુંબઇના બોલિવૂડમાં તો એક બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અભિનેત્રી તરીકે જાણીતી હતી. હિન્દી ફિલ્મ જગતમાં તેનો ડંકો હતો. ૧૯૫૦ના ગાળામાં તે બોલિવૂડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી હતી. બેગમ પારાનો જન્મ તા. ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના સમયમાં જેલમ (પંજાબ) ખાતે થયો […]
ટેબ્લોઈડ પત્રકારત્વનું પાયોનિયર ગુજરાતી પત્રકારત્વને ૧૯૯ વર્ષ પૂરાં થયાં. ગુજરાતી પત્રકારત્વ હવે ૨૦૦મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે ગુજરાતી નહીં પરંતુ અંગ્રેજી પત્રકારત્વમાં ટેબ્લોઈડ સાઈઝના અખબારનો પાયો નાંખનાર એક અખબારની રોમાંચક કહાણી પ્રસ્તુત છે. પત્રકારત્વ કોઈપણ દેશની લોકશાહી માટે એક મહત્ત્વપૂર્ણ સ્તંભ છે. ગાંધીજી પણ અન્યાય સામે લડવા માટે પત્રકારત્વને એક મહત્ત્વપૂર્ણ સાધન માનતા હતા. […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel