તબીબી વ્યવસાય એક પ્રોફેશન જ નહીં પરંતુ લોકસેવાનું માધ્યમ પણ છે. આજે ચારે તરફ તબીબો અને પ્રાઇવેટ હોસ્પિટલો સામાન્ય અને ગરીબ દર્દીઓને પોષાય તેવા રહ્યા નથી ત્યારે આજે અહીં એવા તબીબની કથા પ્રસ્તુત છે જેઓ ગુજરાતના શ્રેષ્ઠ કાર્ડિયોથોરાસિક અને વેસ્ક્યુલર સર્જન હોવા છતાં ગરીબ દર્દીઓ માટે મસીહા હતા. એમનું નામ છે ડો. તુષાર પટેલ, જેઓે […]
આજે ગાંધી વિચારધારા ધરાવતા વ્યક્તિઓ, નિષ્ણાતો અને ચાહકોને શોધવા મુશ્કેલ છે. ગાંધીજીની સાથે રહેલાઓ ‘અંતેવાસી’ તરીકે ઓળખાતા. હવે એવા અંતેવાસીઓ રહ્યા નથી. બાપુની મોટામાં મોટી ખૂબી એ હતી કે દેશને આઝાદી મળી ત્યારે તેમની લોકપ્રિયતા એટલી પ્રચંડ હતી કે તેમણે ધાર્યું હોત તો તેઓ વડા પ્રધાન થઇ શક્યા હોત પરંતુ જે દિવસે આઝાદી મળી એ […]
ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢનાર મહાત્મા ગાંધીજી વિશે શ્રેષ્ઠ ‘ગાંધી’ ફિલ્મ પણ એક અંગ્રેજે જ બનાવી. બોલિવૂડના ફિલ્મ દિગ્દર્શકોને ‘ગાંધીજી’ પણ ફિલ્મનો એક શ્રેષ્ઠ વિષય અને કથાનો શ્રેષ્ઠ નાયક બની શકે છે તે સૂંઝયું જ નહીં. ‘ગાંધી’ ફિલ્મ બનાવનાર હતા સર રિચાર્ડ એટનબરો. તેઓ અંગ્રેજ હતા. આ ફિલ્મના કેટલાંક સંવેદનશીલ ગ્શ્યોનું શૂટિંગ દિલ્હીમાં થયું હતું. આમ […]
આ વાત આઝાદી પહેલાંની છે. લખનૌમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. જેમાં ગાંધીજી પણ હાજર હતા. વિવિધ નેતાઓએ સાંપ્રત સમસ્યાઓ પર પ્રવચન આપ્યું, પરંતુ કોંગ્રેસના એ વખતના નેતા રાજકુમાર શુક્લાએ ખેડૂતોની બેહાલી વિશે જે વાત કરી તેથી બધા વિચલિત થઈ ગયા. શુક્લાજીની વાત સાંભળી ખેડૂતોની હાલત નરી આંખે જોવા ગાંધીજી ચંપારણ પહોંચ્યા. સાથે કસ્તૂરબા પણ […]
આજે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી છે. સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના દિવસે અર્થાત્ ઇ.સ. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરવાળો, ડરપોક અને જુઠ્ઠુ બોલતો, ચોરી કરીને બીડી પીતો કિશોર એક દિવસ આ યુગનો ‘મહાપુરુષ’ બની જશે એવું કોઇ પણ જ્યોતિષીએ ભાખ્યું નહોતું. પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર […]
ગિરીશ કર્નાડ રહ્યા નથી. નવી પેઢી તો શાયદ જ તેમને જાણે છે. હા, કેટલાકને યાદ છે કે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’માં ગુપ્તચર અધિકારીનો રોલ તેમણે કર્યો હતો. પરંતુ સંખ્યાબંધ નાટકો, ‘માલગુડી ડેજ’ જેવી સિરિયલ કે ‘તુગલક’, ‘હમવદના’જેવાં સંખ્યાબંધ નાટકો અને ફિલ્મોમાં તેમણે કરેલો અભિનય એક સીમાચિહ્ન છે. ગિરીશ કર્નાડ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ […]
ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન અંગ્રેજોએ ભારતીયો પર ગુજારેલા બેરહમ અત્યાચારની આ કલંક કથા છે. તા. ૧૩ એપ્રિલ એ બૈસાખી દિન તરીકે ઓળખાય છે પરંતુ ૨૦૧૯નું વર્ષ બ્રિટિશ રાજ દરમિયાન સૌથી મોટા નૃશંસકાંડની ૧૦૦મી વર્ષગાંઠ પણ છે. આ ઘટના તા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ની છે. એ દિવસે પંજાબના જલિયાંવાલા બાગમાં સેંકડો પુરુષ, સ્ત્રીઓ અને બાળકો ઉત્સવ માટે […]
અટલજી વિદાયને એક વર્ષ થયું. તેમના જીવનની કેટલીક લાગણીભીની અને હળવી વાતો અહીં પ્રસ્તુત છે. ભારતના લોકપ્રિય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી આજે હયાત હોત તો દેશભરમાં ખીલી ઉઠેલા કમલને જોઇ અત્યંત ખુશ હોત. અટલજી એક અદ્ભુત વ્યક્તિ હતા. તેમની પાસે સુમધુર વાણી હતી, કવિ પણ હતા અને પ્રખર વકતા પણ હતા. સંસદમાં વિપક્ષમાં રહ્યા […]
સુષમા સ્વરાજ હવે રહ્યાં નથી. ૧૭ દિવસના ગાળામાં દિલ્હીએ તેનાં બે પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યાં. થોડા દિવસો પહેલાં શીલા દીક્ષિત ચાલ્યાં ગયાં અને હવે સુષમા સ્વરાજ. સુષમા અને શીલા એ બંનેનું વ્યક્તિત્વ શાલીન હતું. બંને પોતપોતાની રીતે લોકપ્રિય હતાં. સુષમા સ્વરાજનો જન્મ તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ એટલે કે વેલેન્ટાઈન દિનના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. […]
આજે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા કાંઇક આવી છે. ભગવાન નારાયણ- વિષ્ણુ શેષનાગ પર ઝૂલી રહ્યા છે. પૃથ્વી આંખમાં આંસુ સાથે તેમની પાસે જઇને બોલી : ‘હે પ્રભુ ! હવે હું દુઃખોના ભાર સહન કરી શકતી નથી. મને એવાં પુત્ર-પુત્રી આપો કે જે આનંદ અનુભવી […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel