સંસદની વાત કરવામાં આવે તો અભિનયથી રાજનીતિની સફર સહુથી પહેલાં અભિનેતા પૃથ્વીરાજ કપૂરે તય કરી. ૧૯૫૨માં પૃથ્વીરાજ કપૂરને રાજ્ય સભાના સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા. સમુંદરી (હાલ પાકિસ્તાનમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂર રાજનીતિથી અસ્પૃશ્ય નહોતા. આઝાદીની પહેલાં તેમણે હિન્દુ-મુસ્લિમ એકતા પર એક દમદાર નાટક બનાવ્યું હતું. એ નાટકનું નામ હતું- ‘દીવાર’, જે સહુથી પહેલી વાર કોંગ્રેસની […]
લોકસભાની ચૂંટણી દ્વારા દેશના લોકતંત્રનું મહાપર્વ ઉજવાઇ ગયું. આઝાદીના સાત દાયકા દરમિયાન ચૂંટણી પ્રચાર, પદ્ધતિ, સરઘસો અને સભાઓના પ્રકારમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે ત્યારે અહીં કેટલીક અવિસ્મરણીય વાતો-ઘટનાઓ પ્રસ્તુત છે. રેણુ ચક્રવર્તી એમનું નામ હતું રેણુ ચક્રવર્તી. તા. ૧૨ ઓક્ટોબર, ૧૯૧૭ની સાલમાં જન્મેલાં રેણુ વયસ્ક થતાં ૧૯૪૨માં એ વખતના પ્રસિદ્ધ પત્રકાર નિખિલ ચક્રવર્તી સાથે […]
પદ્માવતી દેવી. છત્તીસગઢના રાજનંદગાંવથી સંસદ સુધી પહોંચનાર એકમાત્ર મહિલા મહારાણી પદ્માવતી સિંહ દેવી હતા. તેમણે ૧૯૬૭માં ચોથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર વિજય હાંસલ કર્યો હતો. તેઓ ખૈરાગઢ રાજ્ય પરિવારના મહારાણી હતા. રાણી પદ્માવતી દેવીએ કળા સંગીતની ઇંદિરા વિશ્વ વિદ્યાલય યુનિવર્સિટીની સ્થાપના માટે પોતાનો રાજમહેલ દાનમાં આપી દીધો હતો. મહારાણી પદ્માવતી દેવીનો જન્મ તા. ૧૭ […]
સર એડવીન આર્નોલ્ડ. તેઓ અંગ્રેજી ભાષાના કવિ અને પત્રકાર પણ હતા. તેઓ એક અંગ્રેજ હોવા છતાં એશિયાની તમામ ભાષાઓ પ્રત્યે ગજબનાક પ્રેમ અને રુચિ ધરાવતા હતા. તેમનો જન્મ તા.૧૦ જૂન,૧૮૩૨ના રોજ ગ્રેવ સેન્ડ, કેન્ટ ખાતે થયો હતો. તેઓ સસેક્સ ઇંગ્લેન્ડના મેજિસ્ટ્રેટ રોબર્ટ કોલ્સ આર્નોલ્ડના બીજા નંબરના પુત્ર હતા. રોચેસ્ટરની કિંગ્સ સ્કૂલ અને તે પછી કિંગ્સ […]
સંસ્કૃત આમ તો દેવોની ભાષા છે. વિશ્વનો શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ-શ્રીમદ્ ભાગવત ગીતા સંસ્કૃતમાં લખાયેલો છે. મહાકવિ કાલિદાસની શ્રેષ્ઠ કૃતિ- ‘અભિજ્ઞાન શાકુંતલમ્ ‘ સંસ્કૃતમાં છે. ભાસનું ‘સ્વપ્નવાસવદત્તમ’ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આજે સંસ્કૃત ભાષા માત્ર ગ્રંથોમાં જ સીમિત થઇ રહી છે. ત્યારે અહીં એક એવી વિદેશી વ્યક્તિની કહાણી છે જે અંગ્રેજ […]
સર ચીમનલાલ હરિલાલ સેતલવાડ. આજથી ૧૦૦ વર્ષ પહેલાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવા એક સેલિબ્રિટી હતા. અંગ્રેજોના સમયમાં બોમ્બે હાઇકોર્ટના તેઓે વિદ્વાન ધારાશાસ્ત્રી હતા. ‘સર’એ અંગ્રેજોએ આપેલો ઇલકાબ હતો. તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૫માં ભરૂચ ખાતે એક બ્રહ્મક્ષત્રિય પરિવારમાં થયો હતો. અંગ્રેજોના જમાનામાં રૂ. એક લાખની લાંચ લેવાનો ઇન્કાર કરનાર અંબાશંકર બ્રિજરાય તે ચીમનલાલ સેતલવાડના પિતામહ […]
ઈસ્ટ ઇન્ડિયા કંપની ખોલી ભારતમાં વેપાર કરવા આવેલા અંગ્રેજોએ ૨૦૦થી વધુ વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યું પરંતુ બ્રિટિશરો શિક્ષણ પ્રિય હતા. દેશનો વહીવટ ચલાવવા તેમને કારકુનોની જરૂર હોઇ ભારતની શિક્ષણ પ્રણાલી અને અભ્યાસક્રમો તેમની જરૂરિયાત અનુસાર ગોઠવ્યાં. હાલ જે આઇએએસ કહેવાય છે તે અંગ્રેજોના જમાનામાં ‘આઈ સી એસ’ એટલે કે ‘ઇન્ડિયન સિવિલ સવર્સિ’ તરીકે ઓળખાતી […]
અમદાવાદના પહેલાં તેજસ્વી વિદ્યાર્થી મગનલાલ શેઠ હતા તો ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનારાં પહેલાં મહિલા વિદ્યાગૌરી નીલકંઠ હતા. વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ તા. ૧ જૂન ૧૮૭૬ના રોજ અમદાવાદમાં થયો હતો. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ : ગુજરાતી નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ ગુજરાતમાં સૌપ્રથમ બી.એ.ની પદવી મેળવનાર સ્ત્રીઓમાંના એક હતા. કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં કર્યા બાદ તેમણે માધ્યમિક […]
ઈરાકે કુવૈત કબજે કર્યું. તે પછી અમેરિકા અને તેના સાથી દેશોનાં લશ્કરી દળોએ ઈરાક પર હુમલો કરી દીધો. તા.૧-૨-૧૯૯૧ના રોજ અખાતના યુદ્ધને બે સપ્તાહ પૂરા થયાં. અમેરિકા અને સાથી દેશોનાં દળોએ બેશુમાર બોમ્બમારો કરીને બગદાદને તબાહ કરી દીધું. નાનાં શહેરો પણ ભાંગી નાંખ્યાં. ઈરાકથી જોર્ડન તરફ જવાના રસ્તા પરના પુલો ઉડાવી દીધા. અત્યાર સુધીમાં ઈરાક […]
પ્રમિલા દંડવતે. પ્રમિલા દંડવતેને દેશ અને વિદેશમાં રાજનેતા અને સમાજ સેવિકાના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્રમિલાજીનો જન્મ તા.૨૭ ઓગસ્ટ, ૧૯૨૮ના રોજ મુંબઇમાં થયો હતો. તેમના પિતાનું નામ ડો. જે.એન. કરંડે અને માતાનું નામ લક્ષ્મીબાઇ કરંડે હતું. તેઓ તેમના દાદા પાસેથી રાષ્ટ્ર સેવાદળ અને ગાંધી-નેહરુના વિચારોથી પ્રભાવિત હતા. મુંબઇની જે.જે. સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સમાં ડિપ્લોમા કર્યા […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel