આજે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી છે. સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના દિવસે અર્થાત્ ઇ.સ. ૧૮૬૯ની બીજી ઓક્ટોબરે પોરબંદરમાં જન્મેલો એક સામાન્ય બુદ્ધિવાળો, ગરબડિયા અક્ષરવાળો, ડરપોક અને જુઠ્ઠુ બોલતો, ચોરી કરીને બીડી પીતો કિશોર એક દિવસ આ યુગનો ‘મહાપુરુષ’ બની જશે એવું કોઇ પણ જ્યોતિષીએ ભાખ્યું નહોતું. પોતાના બચપણથી માંડીને અંત સુધી જીવનને જેવું છે તેવું આરપાર […]
ગિરીશ કર્નાડ રહ્યા નથી. નવી પેઢી તો શાયદ જ તેમને જાણે છે. હા, કેટલાકને યાદ છે કે સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’માં ગુપ્તચર અધિકારીનો રોલ તેમણે કર્યો હતો. પરંતુ સંખ્યાબંધ નાટકો, ‘માલગુડી ડેજ’ જેવી સિરિયલ કે ‘તુગલક’, ‘હમવદના’જેવાં સંખ્યાબંધ નાટકો અને ફિલ્મોમાં તેમણે કરેલો અભિનય એક સીમાચિહ્ન છે. ગિરીશ કર્નાડ પદ્મ શ્રી, પદ્મ ભૂષણ […]
ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન અંગ્રેજોએ ભારતીયો પર ગુજારેલા બેરહમ અત્યાચારની આ કલંક કથા છે. તા. ૧૩ એપ્રિલ એ બૈસાખી દિન તરીકે ઓળખાય છે પરંતુ ૨૦૧૯નું વર્ષ બ્રિટિશ રાજ દરમિયાન સૌથી મોટા નૃશંસકાંડની ૧૦૦મી વર્ષગાંઠ પણ છે. આ ઘટના તા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ની છે. એ દિવસે પંજાબના જલિયાંવાલા બાગમાં સેંકડો પુરુષ, સ્ત્રીઓ અને બાળકો ઉત્સવ માટે […]
અટલજી વિદાયને એક વર્ષ થયું. તેમના જીવનની કેટલીક લાગણીભીની અને હળવી વાતો અહીં પ્રસ્તુત છે. ભારતના લોકપ્રિય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી આજે હયાત હોત તો દેશભરમાં ખીલી ઉઠેલા કમલને જોઇ અત્યંત ખુશ હોત. અટલજી એક અદ્ભુત વ્યક્તિ હતા. તેમની પાસે સુમધુર વાણી હતી, કવિ પણ હતા અને પ્રખર વકતા પણ હતા. સંસદમાં વિપક્ષમાં રહ્યા […]
સુષમા સ્વરાજ હવે રહ્યાં નથી. ૧૭ દિવસના ગાળામાં દિલ્હીએ તેનાં બે પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યાં. થોડા દિવસો પહેલાં શીલા દીક્ષિત ચાલ્યાં ગયાં અને હવે સુષમા સ્વરાજ. સુષમા અને શીલા એ બંનેનું વ્યક્તિત્વ શાલીન હતું. બંને પોતપોતાની રીતે લોકપ્રિય હતાં. સુષમા સ્વરાજનો જન્મ તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ એટલે કે વેલેન્ટાઈન દિનના રોજ હરિયાણાના અંબાલામાં થયો હતો. […]
આજે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા કાંઇક આવી છે. ભગવાન નારાયણ- વિષ્ણુ શેષનાગ પર ઝૂલી રહ્યા છે. પૃથ્વી આંખમાં આંસુ સાથે તેમની પાસે જઇને બોલી : ‘હે પ્રભુ ! હવે હું દુઃખોના ભાર સહન કરી શકતી નથી. મને એવાં પુત્ર-પુત્રી આપો કે જે આનંદ અનુભવી […]
ભારતની સ્વતંત્રતાનાં ૭૨ વર્ષ બાદ એ વખતે થયેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ. જમ્મુ અને કાશ્મીર ભારતનો જ એક ભાગ હોવા છતાં જમ્મુ અને કાશ્મીરને ભારતનું બંધારણ સંપૂર્ણપણે લાગુ પડતું નહોતું. જમ્મુ અને કાશ્મીરમાં ભારતના ત્રિરંગા ઉપરાંત તેનો પોતાનો ધ્વજ હતો. કાશ્મીરીઓ પાસે બેવડું નાગરિકત્વ હતું. જમ્મુ-કાશ્મીરમાં આર્થિક કટોકટી (કલમ ૩૬૦) લાગુ કરી શકાતી નહોતી. […]
એમનું નામ છે કમર જહાં. કમર જહાંનો અર્થ થાય છે. પૂર્ણિમાનાં ચંદ્ર. પાકિસ્તાનમાં જન્મેલી કમર જ્હાં હવે એક સંપૂર્ણ ભારતીય નારી અને ગુજરાતના પુત્રવધૂ છે. તેઓ માત્ર ગુજરાતના જ નહીં પણ દેશના જાણીતા ચિત્રકાર કલાકાર મોહસિન શેખના પત્ની છે. કમર જહાંની પાકિસ્તાનથી અમદાવાદ સુધીની યાત્રા રસપ્રદ અને હૃદયંગમ છે. આ એ જ કમર જહાં છે […]
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનપ્રેરિત આતંકવાદ સામે લડવા ભારત સરકાર હવે નિર્ણાયક લડાઈ લડવા સજ્જ બની રહી છે. જમ્મુ અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ ૩૫-એ રદ કરવા કેન્દ્ર સરકારે મન બનાવી લીધું હોય તેમ લાગે છે. આ કામ વર્ષો પહેલાં થવું જોઈતું હતું અને હવે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશને એક મજબૂત સરકાર પ્રાપ્ત […]
રસ્કિન બોન્ડ. વારસાથી અંગ્રેજ છે, પરંતુ બીજી બધી જ રીતે તેઓ ભારતીય છે. તેમની રગેરગમાં ભારતીય ભાવનાનું રક્ત વહે છે. તેઓ ગોરા અંગ્રેજી હોવા છતાં ભારતમાં જન્મ્યા છે, ભારતની ભૂમિનું અન્ન ખાધું છે, ભારતની આબોહવામાં જ ઊછર્યા છે. એક અંગ્રેજ ભારતીય એવા રસ્કિન બોન્ડ શ્રેષ્ઠ લેખક પણ છે. રસ્કિન બોન્ડનો જન્મ ૧૯૩૪માં હિમાચલ પ્રદેશના કસૌલીમાં […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel