સંસ્કૃત આમ તો દેવોની ભાષા છે. વિશ્વનો શ્રેષ્ઠ આધ્યાત્મિક ગ્રંથ-શ્રીમદ્ ભાગવત ગીતા સંસ્કૃતમાં લખાયેલો છે. મહાકવિ કાલિદાસની શ્રેષ્ઠ કૃતિ- ‘અભિજ્ઞાન શાકુંતલમ્ ‘ સંસ્કૃતમાં છે. ભાસનું ‘સ્વપ્નવાસવદત્તમ’ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. આજે સંસ્કૃત ભાષા માત્ર ગ્રંથોમાં જ સીમિત થઇ રહી છે. ત્યારે અહીં એક એવી વિદેશી વ્યક્તિની કહાણી છે જે અંગ્રેજ […]
સર ચીમનલાલ હરિલાલ સેતલવાડ. આજથી ૧૦૦ વર્ષ પહેલાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવા એક સેલિબ્રિટી હતા. અંગ્રેજોના સમયમાં બોમ્બે હાઇકોર્ટના તેઓે વિદ્વાન ધારાશાસ્ત્રી હતા. ‘સર’એ અંગ્રેજોએ આપેલો ઇલકાબ હતો. તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૫માં ભરૂચ ખાતે એક બ્રહ્મક્ષત્રિય પરિવારમાં થયો હતો. અંગ્રેજોના જમાનામાં રૂ. એક લાખની લાંચ લેવાનો ઇન્કાર કરનાર અંબાશંકર બ્રિજરાય તે ચીમનલાલ સેતલવાડના પિતામહ […]
ઈસ્ટ ઇન્ડિયા કંપની ખોલી ભારતમાં વેપાર કરવા આવેલા અંગ્રેજોએ ૨૦૦થી વધુ વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યું પરંતુ બ્રિટિશરો શિક્ષણ પ્રિય હતા. દેશનો વહીવટ ચલાવવા તેમને કારકુનોની જરૂર હોઇ ભારતની શિક્ષણ પ્રણાલી અને અભ્યાસક્રમો તેમની જરૂરિયાત અનુસાર ગોઠવ્યાં. હાલ જે આઇએએસ કહેવાય છે તે અંગ્રેજોના જમાનામાં ‘આઈ સી એસ’ એટલે કે ‘ઇન્ડિયન સિવિલ સવર્સિ’ તરીકે ઓળખાતી […]
અમદાવાદના પહેલાં તેજસ્વી વિદ્યાર્થી મગનલાલ શેઠ હતા તો ગુજરાતમાં ગ્રેજ્યુએટ થનારાં પહેલાં મહિલા વિદ્યાગૌરી નીલકંઠ હતા. વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ તા. ૧ જૂન ૧૮૭૬ના રોજ અમદાવાદમાં થયો હતો. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ : ગુજરાતી નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ ગુજરાતમાં સૌપ્રથમ બી.એ.ની પદવી મેળવનાર સ્ત્રીઓમાંના એક હતા. કેળવણીનો આરંભ રા. બા. મગનભાઈ કન્યાશાળામાં કર્યા બાદ તેમણે માધ્યમિક […]
ઈરાકે કુવૈત કબજે કર્યું. તે પછી અમેરિકા અને તેના સાથી દેશોનાં લશ્કરી દળોએ ઈરાક પર હુમલો કરી દીધો. તા.૧-૨-૧૯૯૧ના રોજ અખાતના યુદ્ધને બે સપ્તાહ પૂરા થયાં. અમેરિકા અને સાથી દેશોનાં દળોએ બેશુમાર બોમ્બમારો કરીને બગદાદને તબાહ કરી દીધું. નાનાં શહેરો પણ ભાંગી નાંખ્યાં. ઈરાકથી જોર્ડન તરફ જવાના રસ્તા પરના પુલો ઉડાવી દીધા. અત્યાર સુધીમાં ઈરાક […]
પ્રમિલા દંડવતે. પ્રમિલા દંડવતેને દેશ અને વિદેશમાં રાજનેતા અને સમાજ સેવિકાના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્રમિલાજીનો જન્મ તા.૨૭ ઓગસ્ટ, ૧૯૨૮ના રોજ મુંબઇમાં થયો હતો. તેમના પિતાનું નામ ડો. જે.એન. કરંડે અને માતાનું નામ લક્ષ્મીબાઇ કરંડે હતું. તેઓ તેમના દાદા પાસેથી રાષ્ટ્ર સેવાદળ અને ગાંધી-નેહરુના વિચારોથી પ્રભાવિત હતા. મુંબઇની જે.જે. સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સમાં ડિપ્લોમા કર્યા […]
દેશમાં લોકસભાની ચૂંટણીઓનાં નગારાં બાજી રહ્યાં છે. ચારે તરફ શોરબકોર છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો છે. ન્યૂઝ ચેનલ્સ પર રાજકીય પ્રવક્તાઓનું વરવું વાક્યુદ્ધ નિહાળી શકાય છે. ટિકિટો માટેની ખેંચતાણ જોઈ શકાય છે ત્યારે એક યાદગાર પ્રસંગ અત્રે પ્રસ્તુત છે. આ દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી જિંદગીમાં એક જ વાર ચૂંટણી લડયા હતા અને હારી ગયા હતા […]
કુવૈત ખાલી કરવાનો ઈન્કાર કરી દેનાર ઈરાક પર અમેરિકા અને તેનાં સાથી દળોનાં યુદ્ધ વિમાનોએ ખતરનાક હુમલો કર્યો. ઇરાકની રાજધાની બગદાદ પર હજારો બોમ્બ વરસાવ્યા, ૧૮ ટન દારૂગોળો ઠાલવી દીધો. સદામ હુસેન બંકરમાં ચાલ્યા ગયા . અલબત્ત, અમેરિકા અને સાથીદળોના હવાઈ હૂમલાનો જવાબ આપવા ઈરાકે ઈઝરાયેલ પર સ્કડ મિસાઈલ છોડી. સ્કડ મિસાઈલ મૂળ રશિયન બનાવટની […]
૧ ૯૯૧માં અખાતના દેશો પૈકીના એક એવા ઈરાક સાથે ખેલાયેલા પ્રથમ ગલ્ફવોરની આ કહાણી છે. અમેરિકાના પ્રેસીડેન્ટ બુશે ઈરાકને કુવૈત ખાલી કરવા આપેલા અલ્ટીમેટમની ડેડલાઈન તા.૧૭-૧-૧૯૯૧ના રોજ પૂરી થઈ. યુદ્ધ થાય તો ઈરાક કોઈપણ કારણ વગર ઈઝરાયેલ પર હૂમલો કરશે એવી કરાયેલી જાહેરાતથી ઈઝરાયેલમાં સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં હતાં. ઈરાકના સંભવિત રાસાયણિક અને જંતુ […]
એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ ગુજરાતી સાહિત્યના ચાહક એવા અને બ્રિટિશ વહીવટકર્તા હતા. તેઓ ફાર્બસ સાહેબ તરીકે જાણીતા હતા. તેમનો જન્મ લંડનનમાં જુલાઇ, ૧૮૨૧માં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ ફિંચલે ખાતે થયું. તેમણે સ્થપતિને ત્યાં તાલીમ મેળવી હતી, પરંતુ તેઓ હેઇલબરી ખાતે કોલેજમાં જોડાયા અને સર ચાર્લ્સ ફાર્બસ વડે બોમ્બે સિવિલ સવર્સિ માટે ૧૮૪૦માં પસંદગી પામ્યા. તેઓ […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel