યુદ્ધ કદી શાંતિ લાવતું નથી. રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને બે વર્ષ કરતાં પણ વધુ સમય થયો. આ યુદ્ધના કારણે બે લાખ લોકોનાં મોત નીપજ્યાં છે છતાં આ યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલના બોમ્બમારાના કારણે એકલી ગાઝા પટ્ટી પર ૩૦ હજાર લોકોનાં મોત નીપજ્યાં […]
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના કટ્ટર વિરોધી અને વિપક્ષના નેતા નવેલનીનું રશિયાની જેલમાં જ મૃત્યુ નિપજ્યું છે. તેઓ લાંબા સમયથી જેલમાં હતા. રશિયાની યમાલા-નેનેટ્સ જેલના અધિકારીઓએ જણાવ્યું છે કે, તેમની તબિયત સારી નહોતી. જુલાઈ, ૨૦૧૯માં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ પુટિન સામે મોટા વિરોધની અને પ્રદર્શનની જાહેરાત કરી હતી. તેઓ લાંબા સમયથી પુટિનના […]
કેટલાક સમય પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક બ્રાઝિલિયન નાગરિક અન્ટોનિયો પાસેથી રૂ.૩૩ કરોડનું ત્રણ કિલો બ્લેક કોકેન ઝડપાયું હતું. આ શખ્સ સાઉપાઉલો એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. તેની પાસેથી ઝડપાયેલા કોકેનમાં અન્ય રસાયણો પણ મિશ્રિત કરાયાં હતાં. દર થોડા થોડા દિવસોના અંતરે ગુજરાત-કચ્છના દરિયાકિનારેથી અન્ય દેશોમાંથી આવતી હોડીઓમાંથી કરોડોના ડ્રગ્સનો […]
લંડનની એક સાંજ. પિકાડિલી સર્કસ પાસેની એક પબની બહાર એક ખૂબસુરત યુવતી કોઈની રાહ જોતી ઊભી હતી. ઠંડી પણ જોર જમાવી રહી હતી. નેન્સી જ્યાં ઊભી હતી તેની આસપાસ કેટલીક નાઇટ ક્લબો હતી. એટલામાં નજીકના રોડની બાજુમાં એક યુવાન તેની સ્પોર્ટ્સ કારને પાર્ક કરી કાર લૉક કરી તે પિકાડિલી વિસ્તારની નાઇટ ક્લબ તરફ ચાલવા માંડયો. […]
ગુજરાતની શાળાઓમાં બાળકોને હવે શ્રીમદ ભગવદગીતાનું જ્ઞાન આપવામાં આવશે. ગુજરાત સરકારનો આ શ્રેષ્ઠ નિર્ણય છે. શ્રીમદ્ ભગવદગીતા જેવો શ્રેષ્ઠ આધ્યાત્મિક ધર્મગ્રંથ આ પૃથ્વી પર રચાયો નથી અને રચાશે પણ નહીં, કારણ કે શ્રીમદ ભગવદગીતા એ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને સહુ કોઈને આપેલો શ્રેષ્ઠ ઉપદેશ છે. ગાંધીજીએ પણ કહ્યું છે કે, `મને જ્યારે જ્યારે પણ […]
એ હતી મધ્યરાત્રિ. હરણિયું માથે આવ્યું હતું. સૂમસામ ગાડાવાટ અને લીલાછમ તૈયાર મોલવાળાં ખેતરો પર છવાયેલા અંધારપટને દૂર કરવા બીજનો ચંદ્ર વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો. પેલી પાતળી પાતળી પણ પારદર્શક એવી રેશમી વાદળીઓ ઝડપથી દોડતી ઓતરાદી દિશા તરફ ભાગી રહી હતી અને ભાંગેલા હૈયા જેવો ચંદ્રમાં એથી ઊલટી દિશામાં જાણે કે તરી રહ્યો હતો. […]
એક શિક્ષક પોતાના વર્ષો પહેલાંના એક અલૌકિક અનુભવની વાત શરૂ કરે છે ઃ ‘ટ્રેન ઊપડવાને હજુ અડધા કલાકની વાર હતી. રાણકપુરની ટિકિટ કઢાવી કુલીને સૂચના આપી ઃ ‘જલદીથી અગિયાર નંબરના પ્લેટફૅર્મ પર ઉદેપુર મેલમાં સામાન ચઢાવી દે અને મારી જગા રાખજે. હું સિગારેટ લઈને હમણાં જ આવું છું.’ લાલ ઝભ્ભો અને લાલ ફેંટો એની જવાનીની […]
તા.૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિરનો રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય ઉદઘાટન મહોત્સવ છે. ભગવાન શ્રીરામ દેશમાં વિદેશોમાં વસતા ૧૦૦ કરોડ હિંદુઓના આરાધ્ય દેવ છે. રૂ.૧૮૦૦ કરોડના ખર્ચે બનેલા રામમંદિરના સંદર્ભમાં અયોધ્યાનો ઇતિહાસ નવા રામમંદિરની ખૂબીઓ અને ભગવાન શ્રીરામ તથા રામાયણના સંદર્ભમાં કેટલીક વાતો અહીં પ્રસ્તુત છે. `રામાયણ’ અને `મહાભારત’એ દિવ્ય ગ્રંથો દેશના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વારસાની […]
વૈશાખ વદ તેરસનું અંધારું સીમ પર સવાર હતું. ગામમાં મોટા ભાગના લગ્ન પતી ગયાં હોવા છતાં હજુયે વિવાહનાં ઢોલ ઢબૂકતાં હતાં. આથમણા ખૂણાથી ઊપડેલા પવનની લહેરોમાં શરણાઈનો સ્વર છેક રામાના આંબાવાડિયા લગી સંભળાતો હતો. કેરીઓના ભારથી લચી પડેલા આંબાની રખવાળી માટે આંબાવાડિયામાં જ ખાટલી ઢાળીને સૂતેલા રામાના ભઈબંધો રોજ મોડી રાત સુધી ચલમોના દમ મારતા […]
દિલ્હીની માલવીય નગર હાઈસ્કૂલ. આ સ્કૂલમાં બે શિક્ષિકાઓ વિદ્યાર્થીઓને ભણાવવાનો વ્યવસાય કરતી હતી. એકનું નામ રાજમોહિની મહેતા અને બીજીનું નામ નિર્મલા પંત. રાજમોહિની મહેતા અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી મહિલા હતી. સુંદર અને એક સીમા સુધી ભાવુક પણ હતી. શેરોશાયરીની શોખીન પણ હતી. લગભગ ચારેક વર્ષ પહેલાં તેના લગ્ન વિનોદ મહેતા નામના એક યુવક સાથે થયાં […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel