બોરિસ પાસ્તરનાક રશિયન લેખક અને કવિ હતા. ૧૮૯૦માં રશિયામાં મોસ્કો ખાતે જન્મેલા આ મહાન લેખક આમ તો ‘સ્અ જીૈજંીિ- ઙ્મૈકી’ પુસ્તક માટે જાણીતા હતા, પરંતુ રશિયાની બહાર ‘ડોક્ટર ઝિવાગો’ નવલકથાથી મશહૂર બની ગયા. ‘ડોક્ટર ઝિવાગો’ની કથા ૧૯૦૫ના સમયની રશિયન ક્રાંતિ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળાની ઘટનાઓ પર આધારિત છે. એ વખતે રશિયાની પૃષ્ઠભૂમિ પર સમાજવાદની ક્રાંતિનો […]
‘ધીકાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો’ એ ફ્રેન્ચ લેખક એલેકઝાન્ડર ડુમાએ લખેલી સાહસપૂર્ણ નવલકથા છે. આ નવલકથા લખવાનું કામ ઈ.સ. ૧૮૪૪માં પૂરું થયું હતું. કથાનો ફલક ફાન્સ, ઇટલીથી માંડીને મેડિટેરિયન સમુદ્રના એક ટાપુ સુધી વિસ્તરાયેલો છે. આ કથાનો સમયગાળો ૧૮૨૫થી ૧૮૩૯ છે જ્યારે નેપોલિયન બોનાપાર્ટ દેશનિકાલ હતો અને પુનઃ સત્તામાં આવવા પ્રયાસ કરી રહ્યો હતો એ વખતે ફ્રાન્સમાં લુઇસ ફિલિપનું […]
‘બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ’ લ્યૂ વોલેસ દ્વારા લખાયેલી એક ક્લાસિક નોવેલ છે. આ નવલકથા ૧૨ નવેમ્બર, ૧૮૮૦ના રોજ અમેરિકામાં પ્રગટ થઈ હતી. ૧૯મી સદીની જિસસ ક્રાઇસ્ટના પ્રભાવ હેઠળ લખાયેલી આ કથા વર્ષો સુધી એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ ગણાઈ.’બેનહર’ એ હિબ્રૂ શબ્દ છે અને તેનો અર્થ છે : ‘Son of white linen.’ કથાની શરૂઆત કંઈક આ પ્રમાણે છે. રોમન […]
‘Quo Vadis’ એ લેટિન ભાષાના શબ્દો છે. એનો અર્થ છે, “તમે ક્યાં જઈ રહ્યો છો?” મૂળ તો આ ‘બાઇબલ’માં ઉપયોગમાં લેવાયેલો શબ્દપ્રયોગ છે. ‘Quo Vadis’ નવલકથા પોલેન્ડના લેખક હેન્રિક સિએન્ટકિવિક્ઝે ઈ.સ. ૧૮૯૬માં લખી હતી. ૧૯મી સદીની આ સાહિત્યકૃતિ પણ એક મહાકાવ્ય જેવી જ છે. આજે પણ તે એક શ્રેષ્ઠ ક્લાસિક નવલકથા ગણાય છે. ‘Quo Vadis’ની કથાનો સમયગાળો ઈસુના […]
વર્ષો પહેલાંની વાત છે. એક વાર અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીને છબીઘરમાં જઈ ફિલ્મ જોવાનું મન થયું. વાજપેયી અને અડવાણી વેશપલટો કરીને દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા રિગલ સિનેમામાં ફિલ્મ જોવા ગયા. એ વખતે દિલ્હીના એક પત્રકાર તેમને રિગલ સિનેમાની બારીમાંથી ટિકિટ ખરીદતા જોઈ ગયા. પત્રકારે વાજપેયીને પૂછયું : “અરે ! વાજપેયીજી આપ ?” […]
રેણુ ખટોર. કાનપુર યુનિર્વિસટીની એક વિર્દ્યાિથની તરીકે કારકિર્દી શરૂ કરનાર રેણુ હ્યૂસ્ટન યુનિર્વિસટીની વાઈસ ચાન્સેલર બની ગઈ. તેની કહાણી તેના જ શબ્દોમાં: ”હું એક નાનકડા શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારની પુત્રી હતી. અમે ત્રણ ભાઈ-બહેનો હતા. પિતા વકીલાત કરતા હતા જ્યારે મા ઘર સંભાળતી હતી. અમે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં રહેતા હતા. હું હિંદી માધ્યમમાં […]
તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ નવી દિલ્હીની લીલા હોટલના એક રૂમમાંથી શશી થરુરનાં પત્ની સુનંદા પુષ્કરની લાશ મળી. એ વખતે શશી થરુર કેન્દ્રીય મંત્રી હતા. આજે તેઓ કોંગ્રેસના સાંસદ છે. સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી લીધી હોવાનું એ સમયનું પોલીસનું અનુમાન હતું. હવે એક વર્ષ બાદ પોલીસ એવું કહી રહી છે કે”સુનંદા પુષ્કરની હત્યા કરવામાં આવી હતી.” સુનંદા […]
જીંદના મહારાજા રણબીરસિંહના જીવનનાં કેટલાંક ઉત્કૃષ્ટ કાર્યો અત્રે પ્રસ્તુત છે. મહારાજા રણબીરસિંહનો જન્મ તા. ૧૧ ઓક્ટોબર, ૧૮૭૯ના રોજ થયો હતો. એ વખતે જીંદ પંજાબમાં હતું. હવે તે હરિયાણામાં છે. તેમના રાજ્યનો બાકીનો ભાગ પંજાબમાં છે. મહારાજાના પિતાનું નામ ટીક્કા શ્રી બલબીરસિંહ સાહિબ બહાદુર હતું. તેઓ તેમના એકમાત્ર પુત્ર હતા. રણબીરસિંહ ચાર વર્ષની વયના હતા તે વખતે જ […]
વિશ્વભરમાં નાતાલની ઉજવણી થઈ રહી છે ત્યારે વિશ્વના મહાન લેખક અને નોબેલ પુરસ્કાર વિજેતા આનાતોલ ફ્રાન્સે લખેલી એક કથા અહીં પ્રસ્તુત છે : એ વખતે ફ્રાન્સમાં લૂઈનું રાજ્ય હતું. ફ્રાન્સના એક નાનકડા નગરમાં બાર્નેબી નામનો એક નટ કલાકાર રહેતો હતો. શહેરોમાં ફરીને તેની નટકળાના હેરતગંજ નમૂના પેશ કરતો હતો. તાંબાના છ સિક્કા પગેથી ઉચાળી હાથથી […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ જે તસવીરો તમારી જિંદગી ખતમ કરી શકે છે તે ‘પોર્ન રિવેન્જ’ શું છે? શબાના દિલ્હીમાં રહે છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં તે એક્ઝિક્યુટિવ છે. રોજ સવારે ઓફિસ જતા પહેલાં તેનો ઈ-મેલ ખોલી આવેલા સંદેશા જોઈ લે છે. એક સવારે એણે એક ઈ-મેલ ખોલ્યો. તેમાં કોઈએ એક ‘લીંક’ મોકલાવી હતી. શબાનાએ એ લીંક […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel