ચંદ્રમોહન શર્મા. તે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો. દિલ્હી-નોઈડા વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે કબજો જમાવનાર માફિયાઓની વિરુદ્ધ તેણે અનેક આરટીઆઈ દાખલ કરી હતી. ૩૦૦થી વધુ આરટીઆઈ દાખલ કરનાર ચંદ્રમોહન શર્મા સમાજસેવક તરીકે પણ જાણીતો હતો. આ કારણે તેના અનેક દુશ્મનો પણ હતા. ૩૦ એપ્રિલ, ૨૦૧૪ના રોજ ચંદ્રમોહન શર્મા નોઈડાના એક પોલીસ સ્ટેશને પહોંચ્યો. એણે પોલીસને જાણકારી આપી […]
૨૧મી સદીમાં પણ કેટલાક દેશોમાં રાજાશાહી છે. વિશ્વમાં આજના રાજકારણીઓને જોતાં કેટલાકને એવું પણ લાગે છે કે, આજના રાજકારણીઓ કરતાં ઘણા રાજાઓ વધુ સારા અને પ્રજાવત્સલ હતા. વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં લોકશાહી ના હોવા છતાં લોકો સુખ ચૈનથી જિંદગી બસર કરે છે. આવો એક દેશ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાને પોતાની આગવી સમૃદ્ધિ […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ પચાસ વર્ષ પહેલાં એક એવી ઘટના ઘટી કે જેણે દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. ૧૯૬૪માં ફ્રાંસના લેખક અને ચિંતક જ્યોં-પોલ સાર્ત્રેએ વિશ્વનો સહુથી ઊંચો નોબેલ પુરસ્કાર લેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે સ્વૈચ્છાએ આ નોબેલ પ્રાઈઝ લેવા ઈન્કાર કરી દીધો હતો. તેમણે આમ કેમ કર્યું તે અંગે પોતાના ભાવ પ્રગટ […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ ‘વેલેન્ટાઈન્સ ડે’ પ્રણયમસ્ત પ્રેમીઓનો દિવસ છે, પરંતુ આજે આ એક એવી વ્યક્તિની પ્રણયકથા છે, જેને ગીત-સંગીત પ્રત્યે સખત નફરત હતી. બહારથી રૂક્ષ પ્રતિભા ધરાવતાં મોગલ બાદશાહ ઔરંગઝેબના જીવનમાં પણ ક્યારેક પ્રણયની વસંત ખીલી ઊઠી હતી. ઔરંગઝેબ એક કઠોર, યુદ્ધમાં ચતુર અને સાહસિક શાસક હતો. ઈસ્લામના નિયમો અનુસાર પવિત્ર જીવન ગુજારનારો મુસલમાન હતો. એ […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ કેન્સરની બીમારીએ જેમને લેખક બનાવી દીધા કેન્સરનું નામ સાંભળતાં જ લોકો ડરી જાય છે, પરંતુ વિશ્વમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ છે કે જેમણે કેન્સર પર વિજય મેળવીને જિંદગીને નવા જ આયામ બક્ષ્યા છે. કેન્સરમાંથી ઉગરી ગયા બાદ જિંદગીને વધુ સુંદર બનાવી છે. આવું એક નામ છેઃ ફરીદા રિઝવાન. બેંગલુરુમાં રહેતાં ફરીદા […]
(ગતાંકથી ચાલુ) સામ્યવાદીઓએ ડોક્ટર ઝિવાગોના કાકાનું ભવ્ય મકાન પડાવી લીધું. એક સામ્યવાદી અધિકારીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું, “અત્યારથી જ નોકરી પર લાગી જાવ. નહીંતર રેશનકાર્ડ નહીં મળે. શહેરમાં ખતરનાક ચેપી રોગ ફેલાયો છે.” ડોક્ટર ઝિવાગોને એક બીમાર દર્દી પાસ લઈ જવાયા. દર્દીને તપાસીને ડોક્ટર ઝિવાગોએ કહ્યું, “એને કોઈ બીમારી નથી. બીમારી તો છે મોસ્કોમાં ભૂખમરાની.” સામ્યવાદી […]
બોરિસ પાસ્તરનાક રશિયન લેખક અને કવિ હતા. ૧૮૯૦માં રશિયામાં મોસ્કો ખાતે જન્મેલા આ મહાન લેખક આમ તો ‘સ્અ જીૈજંીિ- ઙ્મૈકી’ પુસ્તક માટે જાણીતા હતા, પરંતુ રશિયાની બહાર ‘ડોક્ટર ઝિવાગો’ નવલકથાથી મશહૂર બની ગયા. ‘ડોક્ટર ઝિવાગો’ની કથા ૧૯૦૫ના સમયની રશિયન ક્રાંતિ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના સમયગાળાની ઘટનાઓ પર આધારિત છે. એ વખતે રશિયાની પૃષ્ઠભૂમિ પર સમાજવાદની ક્રાંતિનો […]
‘ધીકાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો’ એ ફ્રેન્ચ લેખક એલેકઝાન્ડર ડુમાએ લખેલી સાહસપૂર્ણ નવલકથા છે. આ નવલકથા લખવાનું કામ ઈ.સ. ૧૮૪૪માં પૂરું થયું હતું. કથાનો ફલક ફાન્સ, ઇટલીથી માંડીને મેડિટેરિયન સમુદ્રના એક ટાપુ સુધી વિસ્તરાયેલો છે. આ કથાનો સમયગાળો ૧૮૨૫થી ૧૮૩૯ છે જ્યારે નેપોલિયન બોનાપાર્ટ દેશનિકાલ હતો અને પુનઃ સત્તામાં આવવા પ્રયાસ કરી રહ્યો હતો એ વખતે ફ્રાન્સમાં લુઇસ ફિલિપનું […]
‘બેનહર : અ ટેલ ઓફ ક્રાઇસ્ટ’ લ્યૂ વોલેસ દ્વારા લખાયેલી એક ક્લાસિક નોવેલ છે. આ નવલકથા ૧૨ નવેમ્બર, ૧૮૮૦ના રોજ અમેરિકામાં પ્રગટ થઈ હતી. ૧૯મી સદીની જિસસ ક્રાઇસ્ટના પ્રભાવ હેઠળ લખાયેલી આ કથા વર્ષો સુધી એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ ગણાઈ.’બેનહર’ એ હિબ્રૂ શબ્દ છે અને તેનો અર્થ છે : ‘Son of white linen.’ કથાની શરૂઆત કંઈક આ પ્રમાણે છે. રોમન […]
‘Quo Vadis’ એ લેટિન ભાષાના શબ્દો છે. એનો અર્થ છે, “તમે ક્યાં જઈ રહ્યો છો?” મૂળ તો આ ‘બાઇબલ’માં ઉપયોગમાં લેવાયેલો શબ્દપ્રયોગ છે. ‘Quo Vadis’ નવલકથા પોલેન્ડના લેખક હેન્રિક સિએન્ટકિવિક્ઝે ઈ.સ. ૧૮૯૬માં લખી હતી. ૧૯મી સદીની આ સાહિત્યકૃતિ પણ એક મહાકાવ્ય જેવી જ છે. આજે પણ તે એક શ્રેષ્ઠ ક્લાસિક નવલકથા ગણાય છે. ‘Quo Vadis’ની કથાનો સમયગાળો ઈસુના […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel