વર્ષો પહેલાંની વાત છે. એક વાર અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીને છબીઘરમાં જઈ ફિલ્મ જોવાનું મન થયું. વાજપેયી અને અડવાણી વેશપલટો કરીને દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા રિગલ સિનેમામાં ફિલ્મ જોવા ગયા. એ વખતે દિલ્હીના એક પત્રકાર તેમને રિગલ સિનેમાની બારીમાંથી ટિકિટ ખરીદતા જોઈ ગયા. પત્રકારે વાજપેયીને પૂછયું : “અરે ! વાજપેયીજી આપ ?” […]
રેણુ ખટોર. કાનપુર યુનિર્વિસટીની એક વિર્દ્યાિથની તરીકે કારકિર્દી શરૂ કરનાર રેણુ હ્યૂસ્ટન યુનિર્વિસટીની વાઈસ ચાન્સેલર બની ગઈ. તેની કહાણી તેના જ શબ્દોમાં: ”હું એક નાનકડા શહેરમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારની પુત્રી હતી. અમે ત્રણ ભાઈ-બહેનો હતા. પિતા વકીલાત કરતા હતા જ્યારે મા ઘર સંભાળતી હતી. અમે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં રહેતા હતા. હું હિંદી માધ્યમમાં […]
તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ નવી દિલ્હીની લીલા હોટલના એક રૂમમાંથી શશી થરુરનાં પત્ની સુનંદા પુષ્કરની લાશ મળી. એ વખતે શશી થરુર કેન્દ્રીય મંત્રી હતા. આજે તેઓ કોંગ્રેસના સાંસદ છે. સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી લીધી હોવાનું એ સમયનું પોલીસનું અનુમાન હતું. હવે એક વર્ષ બાદ પોલીસ એવું કહી રહી છે કે”સુનંદા પુષ્કરની હત્યા કરવામાં આવી હતી.” સુનંદા […]
જીંદના મહારાજા રણબીરસિંહના જીવનનાં કેટલાંક ઉત્કૃષ્ટ કાર્યો અત્રે પ્રસ્તુત છે. મહારાજા રણબીરસિંહનો જન્મ તા. ૧૧ ઓક્ટોબર, ૧૮૭૯ના રોજ થયો હતો. એ વખતે જીંદ પંજાબમાં હતું. હવે તે હરિયાણામાં છે. તેમના રાજ્યનો બાકીનો ભાગ પંજાબમાં છે. મહારાજાના પિતાનું નામ ટીક્કા શ્રી બલબીરસિંહ સાહિબ બહાદુર હતું. તેઓ તેમના એકમાત્ર પુત્ર હતા. રણબીરસિંહ ચાર વર્ષની વયના હતા તે વખતે જ […]
વિશ્વભરમાં નાતાલની ઉજવણી થઈ રહી છે ત્યારે વિશ્વના મહાન લેખક અને નોબેલ પુરસ્કાર વિજેતા આનાતોલ ફ્રાન્સે લખેલી એક કથા અહીં પ્રસ્તુત છે : એ વખતે ફ્રાન્સમાં લૂઈનું રાજ્ય હતું. ફ્રાન્સના એક નાનકડા નગરમાં બાર્નેબી નામનો એક નટ કલાકાર રહેતો હતો. શહેરોમાં ફરીને તેની નટકળાના હેરતગંજ નમૂના પેશ કરતો હતો. તાંબાના છ સિક્કા પગેથી ઉચાળી હાથથી […]
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ જે તસવીરો તમારી જિંદગી ખતમ કરી શકે છે તે ‘પોર્ન રિવેન્જ’ શું છે? શબાના દિલ્હીમાં રહે છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં તે એક્ઝિક્યુટિવ છે. રોજ સવારે ઓફિસ જતા પહેલાં તેનો ઈ-મેલ ખોલી આવેલા સંદેશા જોઈ લે છે. એક સવારે એણે એક ઈ-મેલ ખોલ્યો. તેમાં કોઈએ એક ‘લીંક’ મોકલાવી હતી. શબાનાએ એ લીંક […]
(ગતાંકથી ચાલુ) એક દિવસ સેમસન ફિલીસ્તીઓના નગર ગાઝામાં ગયો. ગાઝામાં એક વેશ્યા રહેતી હતી. સેમસન વેશ્યાના ઘરે ગયો અને ત્યાં જ વાત ફેલાઈ ગઈ કે, સેમસન ગાઝામાં આવ્યો છે. સેમસનના નામની જબરદસ્ત ધાક હતી. એની અસાધારણ શક્તિથી લોકો ડરતા હતા. શહેરના ચોકિયાતોને સાબદા કરી દેવામાં આવ્યા. શહેરના લોકો નગરના દરવાજે જઈ સેમસન પકડાઈ જાય એની રાહ […]
‘સેમસન એન્ડ ડલાઇલાહ’ એ પણ બાઇબલની જ એક કથા છે. સેમસન યહૂદી હતો. યહૂદીઓએ જ્યારે જ્યારે ભૂલો કરી ત્યારે ત્યારે ઈશ્વરે તેમને સજા કરેલી છે અને તેમના ઉદ્ધાર માટે ઈશ્વરે કોઈ ને કોઈ ઉદ્ધારક મોકલ્યો છે તેવી કથાઓ બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં મોજૂદ છે. સેમસન પણ ઈશ્વરે બક્ષેલી અસાધારણ તાકાતવાળો ઉદ્ધારક જ હતો, પરંતુ ડલાઇલાહ નામની એક સ્વરૂપવાન […]
(ગતાંકથી ચાલુ) મોઝીઝમાં કુદરતી રીતે જ નેતૃત્વના ગુણો હતા અને તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો. ઇજિપ્તના ફેરોઝની ગુલામીમાંથી પોતાના દેશવાસીઓને મુક્ત કરાવવાનું એણે બીડું ઝડપેલું હતું. એ બધા મોઝીઝની આગેવાની હેઠળ ઇજિપ્તથી પોતાના વતન પેલેસ્ટાઇન (હાલનું ઇઝરાયેલ) જવા નીકળ્યા હતા. ૪૦ વર્ષ સુધી તેઓ વેરાન પ્રદેશોમાં ઘૂમતા રહ્યા હતા. યહૂદીઓમાં અંદરોઅંદર ઘણા મતભેદો હતા. મોઝીઝની […]
ઇઝરાયેલનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. પહાડીઓ, પર્વતો,ખીણો અને સમુદ્રથી ઘેરાયેલો અને નહીંવત્ વરસાદ ધરાવતો આ દેશ બાઇબલની પવિત્ર ભૂમિ છે. ચાર હજાર વર્ષ પહેલાં યહૂદીઓ અને આરબોના પૂર્વજ અબ્રાહમ પણ અહીં જ જન્મ્યા હતા. તેઓ જન્મે યહૂદી હતા. વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ અને કિંગ સોલોમન પણ અહીં જ જન્મ્યા હતા અને તેઓ યહૂદી […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel