Close
અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on મેં સાંભળ્યું છે કે તમારા મૃતદેહની બાજુમાં મૂકવા અદ્ભુત ખજાનો છે!

મેં સાંભળ્યું છે કે તમારા મૃતદેહની બાજુમાં મૂકવા અદ્ભુત ખજાનો છે!

મેં સાંભળ્યું છે કે તમારા મૃતદેહની બાજુમાં મૂકવા અદ્ભુત ખજાનો છે!

ઇજિપ્તની સંસ્કૃતિએ હજારો વર્ષથી આખા વિશ્વને આર્કિષત કર્યું છે. આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વ ઇજિપ્તના રાજા ફેરો તરીકે ઓળખાતા. કેટલાક ફેરોઝ પોતાને ‘લીવિંગ ગોડ’ તરીકે ઓળખાવતા. નાઇલ નદીના કિનારે ખીલેલી ઇજિપ્તની સંસ્કૃતિ ગ્રેટ પિરામિડ્સ અને સ્ફિન્ક્સથી જાણીતી છે. પિરામિડ્સ આજે પણ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક અજાયબી ગણાય છે. ઈસુના જન્મના પણ અઢી હજાર વર્ષ પૂર્વે ઇજિપ્ત પર […]

Read more...

કભી કભી | Comments Off on તારા જેવી રૂપની પરી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ

તારા જેવી રૂપની પરી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ

તારા જેવી રૂપની પરી પાસે હજારો રૂપિયા હોવા જોઈએ

૨૦ વર્ષની પૂજા મૂળ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના શીતલપુર ગામની વતની હતી. તેના પિતા હોમગાર્ડમાં હતા. બીમારીના કારણે પિતાનું અચાનક મૃત્યુ નીપજતાં પૂજાની મા રાજવતી દીકરીને અને બીજા બે પુત્રોને લઈ રોજગારીની તલાશમાં ફેઝ ટુ, ગ્રેટર નોઈડા આવી. રાજવતી એક ભાડાના મકાનમાં રહેવા લાગી. એણે શાકભાજીની એક દુકાન પણ શરૂ કરી.બધાં જ ભાઈ-બહેનોમાં પૂજા સહુથી વધુ સુંદર […]

Read more...

ચીની કમ | Comments Off on સરદાર સાહેબે પુત્રી માટે મકાન સુદ્ધાં ના બનાવ્યું

સરદાર સાહેબે પુત્રી માટે મકાન સુદ્ધાં ના બનાવ્યું

સરદાર સાહેબે પુત્રી માટે મકાન સુદ્ધાં ના બનાવ્યું

તા. ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. ગુજરાતના સામાન્ય ગરીબ કિસાન કુળમાં જન્મેલો બાળક, ખેડાની ખમીરવંતી ધરતીની ગોદમાં ઊછરીને આપબળે વકીલ બને છે. બેરિસ્ટરના અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ જાય છે. ત્રણ વર્ષનો અભ્યાસક્રમ અઢી વર્ષમાં પૂરો કરી ગોલ્ડ મેડલ સાથે બેરિસ્ટરની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરે છે. વર્ષ ૧૯૧૩માં અમદાવાદમાં પ્રેક્ટિસનો પ્રારંભ કરી વકીલાતક્ષેત્રે નામાંકિત બને છે. […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન

એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન

એક સ્ત્રીને કારણે આખું રાજ્ય ધ્વસ્ત થયું હેલન

‘ઇલિયડ’ એ પ્રાચીન ગ્રીક કવિ હોમરે લખેલું મહાકાવ્ય છે. વિશ્વનાં પાંચ મહાકાવ્યોમાં હોમરનાં બે કાવ્યો ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’નો સમાવેશ થાય છે. ‘ઇલિયડ’ કરુણાંત કાવ્ય-ટ્રેજેડી છે, જ્યારે ‘ઓડિસી’રોમાંચક કાવ્ય છે. ગ્રીસમાં અંધ ચારણ કવિઓની પ્રણાલી હતી. ઈ.સ. પૂર્વે ૧૪૦૦-૧૫માં બનેલી ઘટનાઓ આ કવિઓ ગાતા આવ્યા હતા. ઈ.સ. પૂર્વે ૫૦૦માં કવિ હોમરે ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ રચ્યાં હોવાનું મનાય છે. કવિ હોમર […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on જ્યારે દેવીઓ પણ તેમના માનવપ્રેમીઓ માટે ઝઘડી હતી

જ્યારે દેવીઓ પણ તેમના માનવપ્રેમીઓ માટે ઝઘડી હતી

જ્યારે દેવીઓ પણ તેમના માનવપ્રેમીઓ માટે ઝઘડી હતી

‘એફ્રોદિતિ’ પ્રાચીન ગ્રીક પ્રજાની દેવી છે. તેને પ્રણય, સૌંદર્ય, આનંદ અને કામક્રીડાની દેવી ગણવામાં આવી છે. આ સમયગાળામાં રોમન પ્રજામાં આવંુ જ સ્થાન ‘વિનસ’નું હતું. એફ્રોદિતિના જન્મની કથા નાટકીય છે. તે યુરેનસ અર્થાત્ જ્યૂસ નામના દેવની પુત્રી હતી. ગ્રીક દંતકથા અનુસાર જ્યૂસના પુત્ર ક્રોનસે તેના પિતાનું અંગ કાપીને દરિયામાં ફેંકી દીધું હતું. એ પછી દરિયામાં જબરદસ્ત ઊભરો […]

Read more...

કભી કભી | Comments Off on ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

ઈશ્વર એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો ખોલી દે છે ! (કભી કભી)

એરિક વિહેનમેયર. અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં જન્મેલા એક બાળકની આ કહાણી છે. જ્યારે તે બે વર્ષનો થયો ત્યારે તેનાં માતા-પિતાને લાગ્યું કે,નાનકડા એરિકની આંખોમાં કોઈ તકલીફ છે. બચપણમાં જ નીચે પડેલી કોઈ ચીજવસ્તુઓને હાથમાં પકડતાં તેને મથામણ કરવી પડતી હતી. ફાંફાં મારવા પડતા હતાં. એરિકને ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો. શરૂઆતમાં ડોક્ટરો પણ સમજી શક્યા નહીં, પરંતુ […]

Read more...

Uncategorized | Comments Off on દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય

દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય

દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ દીપાવલીના તહેવારોનો આરંભ થઇ રહ્યો છે ત્યારે દીપક, રંગોળી અને લક્ષ્મીપૂજનનું મહત્ત્વ સમજીએ દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. હિન્દુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ અને તવંગર એ સૌ કોઈ દીપાવલીના તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે. ઝૂંપડું હોય, નાનું ઘર હોય, મોટી હવેલી કે બંગલો […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે

ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે

ક્રોધ વિષ છે, ક્ષમા અમૃત છે, ક્રૂરતા વિષ છે, કરુણા અમૃત છે

જનક રાજાનો મહેલ. મહેલની બહાર સૈનિકો અને પહેરેગીરો તહેનાત હતા. રાજા અંદરના એક વિશાળ સભાખંડમાં દરબાર ભરીને બેઠા હતા. સભામાં વિદ્વાનો, પ્રકાંડ પંડિતો, પ્રતિષ્ઠિત નાગરિકો અને નગરજનો બેઠા હતા. એ સમયે એક છોકરો મહેલના દરવાજે આવીને ઊભો રહ્યો. એનો દેખાવ પણ વિચિત્ર હતો. તેના શરીરનાં આઠેય અંગ વાંકાં હતાં. સૈનિકો પણ તેને જોઈને હસવા લાગ્યા. દ્વારપાળે […]

Read more...

અભિજ્ઞાાનશાકુન્તલમ્ | Comments Off on મૃત્યુ પછી જીવનું શું થાય છે? મૃત્યુ પર વિજય કેવી રીતે મળે?

મૃત્યુ પછી જીવનું શું થાય છે? મૃત્યુ પર વિજય કેવી રીતે મળે?

મૃત્યુ પછી જીવનું શું થાય છે? મૃત્યુ પર વિજય કેવી રીતે મળે?

અરુણ એક મર્હિષ હતા. તેઓ અન્નદાન ખૂબ કરતા. તેમને ઉદ્દાલક નામનો પુત્ર હતો. મર્હિષ અરુણના પુત્ર ઉદ્દાલકે એક વખત વિશ્વજિત નામના યજ્ઞાનું આયોજન કર્યું. યજ્ઞા સંપન્ન થયા પછી તેમણે બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ગાયો મગાવી, પરંતુ એ ગાયો અત્યંત દુર્બળ અને વૃદ્ધ હતી. કેટલીક તો સાવ હાડપિંજર જેવી થઈ ગયેલી હતી. એવી નિર્બળ ગાયોને જોઈ ઉદ્દાલકના […]

Read more...

કભી કભી | Comments Off on લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો ! (કભી કભી)

લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો ! (કભી કભી)

લક્ષ્મીના માલિક થવાના બદલે તેમને માતા તરીકે સ્વીકારો ! (કભી કભી)

દીપાવલિના તહેવારોનો આરંભ થઈ રહ્યો છે. દીપાવલિનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છે. સમૂદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો બહાર નીકળ્યાં, તેમાં સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી,તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપૂંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ […]

Read more...