વર્ષો જૂની એક ગ્રામ્ય કહેવત-રૂઢિપ્રયોગ છે, `જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ.’ કહેવાનો મતલબ એ છે કે વરરાજા સાથે કોઈ નહાવા નિચોવાનો પણ સંબંધ ન હોય તેવી દોઢડાહી મહિલા કોઈની જાનમાં નવાં નકોર કપડાં પહેરીને રૂમલાયા કરે. કોઈ પૂછે કે તમે વરનાં શું સગાં છો તો એ ગપગોળો હાંકે કે `હું વરની ફઈ […]
મહેશ કિલ્લા એક વ્યવસાયી બિઝનેસમેન છે. તેમના પત્ની વિમલા વિશે તેમણે આલેખેલી કથા કાંઈક આવી છે ઃ ‘એ વખતે વિમલાની ઉંમર ૩૫ વર્ષની હતી. તા.૧૩મી ઑક્ટોબર ૧૯૯૪નો એ દિવસ હતો. અમે બધાં અમારા વતન રાજસ્થાનમાં લક્ષ્મણગઢ ખાતે રજાઓ ગાળવા ગયાં હતાં. નવરાત્રિના દિવસોમાં અમે આખુંયે પરિવાર લક્ષ્મણગઢ ખાતે ભેગાં થતાં. એક દિવસ સાંજે વિમલાને બેચેની […]
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન વિમાનના રનવે પરથી ટેક ઓફ થતાં જ થોડીક જ મિનિટોમાં મેઘાણીનગરના રહેઠાણ વિસ્તારમાં તૂટી પડ્યું. પ્લેન ક્રેશની આ ઘટનાના કારણે વિમાનમાં મુસાફરી કરી રહેલા ઉતારુઓ અને મેઘાણીનગરમાં આવેલી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલના ૪૦ ઈન્ટર્ન ડોક્ટરો સહિત મેસની સ્ટાફના કુલ ૨૮૦થી વધુનાં કરુણ મોત નીપજ્યાં. આ વિમાનમાં મુસાફરી કરી […]
આજે `ફાધર્સ ડે’ છે. કહેવાય છે કે માતાની તેનાં સંતાનો પ્રત્યેની લાગણી નિહાળી શકાય છે, પરંતુ પિતાની તેમના પુત્ર કે પુત્રી પ્રત્યેની લાગણી અદૃશ્ય હોય છે. પિતાની લાગણીઓ શબ્દોમાં નીતરતી હોતી નથી. પિતાની પુત્ર પ્રત્યેની લાગણીનું શ્રેષ્ઠ ઉદાહરણ દશરથ રાજા છે. કૈકેયીએ માંગેલા વરદાનના કારણે ભગવાન શ્રીરામને વનમાં જવું પડ્યું હતું અને પુત્રના વિરહ અને […]
આકાંક્ષા એક ગૃહિણી છે. ઘણાં વર્ષો બાદ એ જોવા મળી. એને ચહેરો જોતાં જ ખ્યાલ આવી ગયો કે આ એ જ છોકરી છે જે અમદાવાદની એક કૉલેજમાં સાથે ભણતી હતી. અત્યંત રૂપાળી પણ એનાં વસ્ત્રો પ્રત્યે એટલી જ બેદરકાર. ના તો મેચિંગ હોય કે ના તો એના વાળનું ઠેકાણું. વજન પણ વધારેૅ અને સાવ આળસું. […]
ગઈ કાલે તા. ૩૧મીએ વિશ્વ તમાકુ નિષેધ દિન હતો. કેટલાક લોકો તણાવ દૂર કરવા સિગારેટ પીએ છે, તો કેટલાક લોકો શોખથી સિગારેટ પીએ છે. તાજેતરમાં થયેલાં સંશોધનો દર્શાવે છે કે દેશની ટીનએજ ગર્લ્સ એટલે કે તરુણીઓમાં ધૂમ્રપાન પહેલાં હતું તે કરતાં બે ગણું વધ્યું છે. તરુણીઓમાં ૨૦૦૯થી ૨૦૧૯ દરમિયાન ધૂમ્રપાન ૩.૮ ગણું વધ્યું છે. નોંધપાત્ર […]
પાકિસ્તાન હવે કોઈ પણ અડપલું કરશે તો `ઓપરેશન સિંદૂર-૨’ માટે તૈયાર રહે ગઈ તા. ૨૨મી એપ્રિલના રોજ પાકિસ્તાનથી આવેલા કેટલાક આતંકવાદીઓએ પહલગાવમાં ૨૬ જેટલા હિન્દુ પર્યટકોને ધર્મ પૂછી તેમની ક્રૂર હત્યા કરી નાખી. પાકિસ્તાન ભારત સાથે પરંપરાગત યુદ્ધ કદી જીતી શકતું નથી, તેથી પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓને ભારત મોકલી હિન્દુઓની હત્યા કરી પ્રોક્સી વોર લડી […]
છેવટે પાકિસ્તાને ભારત સામે ઝૂકવું જ પડ્યું. ભારતના મિસાઈલ હુમલાથી તબાહ થયેલાં પોતાનાં શહેરો જોઈ ધ્રૂજી ગયેલા પાકિસ્તાનના શાસકોએ ભારત સાથે યુદ્ધ વિરામ માટે કરગરવું પડ્યું. પાકિસ્તાનના નેતાઓનો અને આતંકવાદીઓનો ઈતિહાસ જ રક્તરંજિત છે. પાકિસ્તાનના એક વખતના સરમુખત્યાર ઝિયા ઉલ હકે પાકિસ્તાનના એક વખતના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ લટકાવી દીધા હતા. તેના થોડાં વર્ષો […]
સવારના ચાર વાગ્યા હતા. કાશ્મીરની વાદીઓમાં હજુ અજવાળું થયું નહોતું. સાબિયા તેની મા અને બહેન શકીના સાથે પરોઢની નીંદર માણી રહી હતી. અચાનક કોઈએ એના ઘરનું બારણું ખટખટાવ્યું. સાબિયા ઊભી થઈ. એણે તંદ્રાવસ્થામાં ંજ બારણું ખોલ્યું. સાબિયાએ જોયું તો બારણામાં પચ્ચીસેક વર્ષનો એક યુવાન ઊભો હતો. સાબિયાએ પૂછયું ઃ ‘કૌન હો. ક્યા ચાહતે હો?’ ‘પરદેશી […]
Padma Shri awardee and one of Gujarat’s most respected journalists and writers, Devendra Patel owes the roots of his thoughtful and creative life journey to the enriching environment of the Shreyas Foundation. Born in 1945 in the village of Akrund in Sabarkantha district, Patel was raised in a family imbued with Gandhian values. However, it […]
All Rights Reserved | Copyright © 2026 Devendra Patel